Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 319
________________ ગ્રંથકાર કહે છે : 'સંવૃત્તુ માયાનારું રે ।'માયાજાળને તોડવાથી જ હૃદયમાં સમતા આવશે અને રહેશે. સમતાને હૃદયમાં ભરો ગ્રંથકાર કહે છેઃ 'રમયા હૃદયંશમસમતામ્ । ‘હૃદયથી હૃદયંગમ સમતામાં રમણ કર !' બધું કાર્ય હૃદયમાં ક૨વાનું છે. હાર્ટનું આધ્યાત્મિક ઑપરેશન કરવાનું છે. હૃદયમાંથી મમતાને હટાવવાની છે અને સુંદર, સુદૃઢ સમતાને સ્થિર કરવાની છે. મહાનુભાવો ! પદાર્થોમાં પ્રિય-અપ્રિયની કલ્પનાને છોડી દો. આવી કલ્પના ન કરવી. એનાથી તમે સમતાની નજીક પહોંચી જશો. પ્રિય-અપ્રિયની કલ્પનાઓ સંકલ્પવિકલ્પોમાં જીવને ગૂંચવી નાખે છે. એટલા માટે એ કલ્પનાઓ છોડી દો, સ્વભાવનું આલંબન લો અને તમે સમતાની વધારે નજીક પહોંચી જશો. હું તમને પૂછું છું - શું નિશ્ચિત વૃષ્ટિથી પદાર્થોમાં કંઈ પણ ઇષ્ટ-અનિષ્ટ, પ્રિયઅપ્રિય રહેલું છે ? નથી ને ? તો પછી શા માટે પદાર્થમાં રાગદ્વેષ કરવો ? ન જ કરવો. રાગદ્વેષના વિકલ્પો કરવાના નથી. તમે તમારી આસપાસ જુઓ, ધ્યાનથી જુઓ. એક વસ્તુ તમને પ્રિય છે, તમારા ભાઈને અપ્રિય છે. તમારી માતાને પ્રિય છે, બહેનને અપ્રિય છે ! આનો અર્થ સમજાયો ? પ્રિયાપ્રિયતા માત્ર કલ્પના જ છે. એ પરમાર્થથી સત્ય નથી. પ્રિય-અપ્રિયત્વના વિકલ્પો ઉપશાન્ત થતાં જ, ઇષ્ટઅનિષ્ટની કલ્પના વિરામ પામતાં જ સમતા હૃદયનાં દ્વાર ખખડાવતી આવે છે. મહાનુભાવો, વાસ્તવિક સુખ તો તમને આધીન છે. બાહ્ય પદાર્થો સાથે તમારો કોઈ સંબંધ નથી. એટલે કે તમારાં સુખો બાહ્ય પદાર્થો પર આધારિત નથી. બાહ્ય પદાર્થોમાં સુખ મળે છે’ એ તો ભ્રાન્તિ છે. આ ભ્રાન્તિ દૂર થતાં આત્મસ્વરૂપની પ્રાપ્તિ થશે, રાગદ્વેષની તીવ્રતા નષ્ટ થશે અને સમતા હૃદયમાં પ્રવેશશે. એક વાત માનશો ? માનવી પડશે. હવે શુદ્ઘનયની દૃષ્ટિથી માત્ર વિશુદ્ધ આત્માને જુઓ. 'મષ્વિવાનપૂર્વીન મૂળ નવેક્ષ્યતે । સચ્ચિદાનંદથી પૂર્ણ બનીને જગતને પૂર્ણ જુઓ. બસ, સમતા આવી ગઈ સમજો. આ રીતે આત્મસત્તાનુ એકત્વ નિશ્ચિત થતાં આત્મગુણોથી અને માધ્યસ્થ્યભાવથી મન આત્મામાં રમણતા કરતું રહેશે, એ જ શ્રેષ્ઠ સમતા હશે. સમતાનો એક વિશિષ્ટ લાભ બતાવું ? તમે લોકો તો સર્વત્ર લાભ જ જુઓ છો ને ? સમતા જ્યારે પરિપક્વ બનશે, ત્યારે વિષયોનો આગ્રહ છૂટી જશે ! મન-વચનકાયાથી પૌદ્ગલિક વિષયો પ્રત્યે વૈરાગ્ય પરાકાષ્ઠાએ પહોંચી જશે, ત્યારે આત્માની સ્થિતિ કેવી હશે, ખબર છે ? કોઈ ચંદનથી પૂજા કરે યા કોઈ શસ્ત્રથી ઘા કરે - ન માધ્યસ્થ ભાવના ૩૦૫

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356