________________
श्रान्ता यस्मिन् विश्वमं संश्रयन्ते, रुग्णाः प्रीतिं यत्समासाद्य सद्यः । लभ्यं रागद्वेषविद्वेविरोधा
दौदासीन्यं सर्वदा तत्प्रियं नः ॥ १ ॥
માધ્યસ્થ્યભાવમાં વિશ્રામ
:
આત્મસ્વભાવમાં નિમગ્ન રહેવું, ન કોઈ પ્રત્યે રાગ, ના દ્વેષ, આ માધ્યસ્થ્યભાવ છે. મધ્યસ્થતા કહો યા ઔદાસીન્ય કહો - એક જ વાત છે. જડ-ચેતન દ્રવ્યો પ્રત્યે રાગદ્વેષ ક૨વાથી મન બહિર્મુખ બને છે. બહિર્મુખ મનુષ્ય પોતાના અયોગ્ય વિચારવ્યવહારને પ્રામાણિક સિદ્ધ કરવા માટે કુતર્કનો આધાર લે છે. પરિણામ એ આવે છે કે એવા જીવોને વિવિધ પ્રકારનાં ઉપાલંભોનો સામનો કરવો પડે છે. લોકનિંદાના ભોગ બનવું પડે છે. એનાથી એ થાકી જાય છે અને કલાન્ત બની જાય છે. જો માણસ ઉદાસીનભાવ ધારણ કરે છે તો તે સદૈવ માનસિક આરામ પામે છે; પરંતુ એને માટે તેણે ત્રણ પ્રકારનો પુરુષાર્થ ક૨વો જોઈએ ઃ
– રાગદ્વેષનો ત્યાગ, અત્તરાત્મભાવની સાધના,
– કુતર્કોનો ત્યાગ.
આ ત્રણે વાતો મહત્ત્વપૂર્ણ છે. જે જડ યા ચેતન પદાર્થ પ્રત્યે રાગ હોય, તીવ્ર આસક્તિ હોય અને એમાં દ્રવ્યાત્મક કે ભાવાત્મક અણધાર્યું પરિવર્તન આવે છે, તો માણસ દુઃખી થઈ જાય છે અને જો એ દુઃખ વધતું જાય છે, તો હૃદય ઉપર અસર કરે છે અથવા ચિત્ત ઉપર અસર કરે છે. પરિણામે તે મનનો રોગી બની જાય છે. એટલા માટે જો માનસિક યા શારીરિક સુખ પામવું હોય તો મધ્યસ્થભાવ ઉદાસીનભાવની આરાધના કરો. નાદું, ન મમ - આ મંત્રની આરાધના કરો. માધ્યસ્થભાવમાં પ્રીતિ
-
જો માણસ રોગી હોય, પરંતુ શરીર પ્રત્યે એ રાગી ન હોય, આસક્ત ન હોય, તો તે પ્રસન્નતા અનુભવે છે. મને રોગ નથી, મારા શરીરને છે.’ આ સત્ય એના મનને રોગજન્ય ગ્લાનિથી દૂર રાખે છે. એટલા માટે તો સ્વયં સ્કંદકમુનિજીના ૫૦૦ શિષ્યોને પાલક રાજાએ ઘાણીમાં પીલી નાખ્યા, તો પણ તે શિષ્યો ધર્મધ્યાનમાં રહ્યા, શુક્લધ્યાન પામ્યા અને મુક્તિમાં પહોંચી ગયા. એમના મનમાં ન પાલક પ્રત્યે રોષ આવ્યો, ન શરીર પ્રત્યે સૂગ આવ્યો. તેઓ તો મધ્યસ્થ બન્યા અને મુક્તિ પામી ગયા. પરંતુ આચાર્ય સ્કંદકસૂરિજીને પાલક પ્રત્યે રોષ - ઘોર રોષ પ્રદીપ્ત થયો, તેઓ
૨૬૦
શાન્તસુધારસ : ભાગ ૩