________________
ભવકૂપમાં પતન જ થાય છે. ભાવ જ તારક છે. ભરત ચક્રવર્તી વગેરે ભાવથી જ નિવણિ પામ્યા છે. ઔષધ, મંત્ર, તંત્ર, યંત્ર ભાવથી જ સિદ્ધ થાય છે. કવિ કહે છે? ભાવથી કેટલા જીવો ભવસાગર તરી ગયા એ શાસ્ત્રોમાં જોઈ લેજો - સજ્જન પુરુષો ગુણોના સમુદ્ર જેવા હોય છે. જીરણ શેઠ -ભાવથી દેવલોકમાં
શ્રમણ ભગવાન મહાવીરના જીવનકાળમાં ભાવધર્મનું એક ભવ્ય ઉદાહરણ વાંચવા મળે છે. એ દ્રષ્ટાંત છે જીરણ શ્રેષ્ઠીનું. ભગવાન મહાવીર છવસ્થ કાળમાં હતા. ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યા હતા. એક વાર ચાર માસના ઉપવાસનું પારણું હતું. પારણું કરવા જીરણ શ્રેષ્ઠીએ પોતાને ઘેર પધારવા નિમંત્રણ આપ્યું. ભગવાન મૌન રહ્યા. મૌનનો અર્થ અનુમતિ સમજીને જીરણ શ્રેષ્ઠી ઘેર આવ્યા. પોતાની પત્ની પુત્ર વગેરેને વાત કરી. બધાં વાત સાંભળીને ઉલ્લાસ પામ્યાં : “આજે આપણે ઘેર ભગવાન મહાવીર પધારશે’ આ વાતે તો જીરણ શેઠને અત્યધિક આનંદિત કરી દીધા. વેદનીય કર્મ-નિવારણ પૂજામાં શ્રી શુભવીરે ગાયું છે - ઊભી શેરીયે જ છંટકાવે, જાઈ, કેતકી ફૂલ બિછાવે, નિજ ઘર તોરણ બંધાવે, મેવા મીઠાઈ થાલ ભરાવે રે. મહાવીર પ્રભુ ઘર આવે, જીરણ શેઠજી ભાવના ભાવે રે..મહાવીર-૧ અરિહાને દાન જ દીજે, દેતાં દેતાં દેખીને રીઝે, ષડૂમાસી રોગ હરી જે. સીઝે દાયક ભવ ત્રીજે રે, મહાવીર-૨ તે જિનવરને સનમુખ જાવું, મુજ મંદિરીયે પધરાવું, પારણું ભલી ભક્ત કરાવું, જુગતે જિનપૂજા રચાઉં રે..મહાવી-૩ પછી પ્રભુને બોલાવા જાઈશું, કર જોડી સામા રહીશું, નમી વંદીને પાવન થાઈશું, વિરતિ અતિ રંગે વરીશું રે...મહાવીર-૪ દયા, દાન-ક્ષમા, શીલ ધરશું, ઉપદેશ સજ્જનને કરશું, સત્ય જ્ઞાનદશા અનુસરશું, અનુકંપા લક્ષણ વરશું રે...મહાવીર-પ એમ જીરણ શેઠ વદતા, પરિણામની ધારે ચઢતા, શ્રાવકની સીમે ઠરતા, દેવદુદુભિ-નાદ સુર્ણતા રે..મહાવીર-૬ કરી આયુ પૂરણ શુભભાવે, સુરલોક અશ્રુતે જાવે, શાતાવેદની સુખ પાવે, શુભ વીર વચનરસ ગાવે રે..મહાવીર-૭
જીરણ શેઠે કેવી અનુપમ ભાવના ભાવી છે. જે શેરીમાં તે રહેતા હતા ત્યાં પાણી છંટાવ્યું. જુઈ, કેતકી આદિ પુષ્પોની પુષ્પમાળાઓ બાંધી. પોતાના ઘરના દ્વાર ઉપર
[ ૧૭૪
શાન્તસુધારસઃ ભાગ ૩]