________________
ईर्ष्या रोषो दोषो देषः परिवादमत्सरासूयाः ।
કર પ્રાઇડનારા-ન દેવચ પવાર | ૨૨ છે શત્રના હૃદયમાં ઈષ્ય ન રહો, રોષ, દ્વેષ ન રહો, પરિવાદ-મત્સર અને અસૂયા (ક્ષમાનો વિરોધી) વેર અને પ્રચંડન ન રહો અને આ તમામ દોષો દૂર થાય ત્યારે એમનામાં સમતાભાવ આવે. સમતા કહો યા શાન્તિ કહો. ઉપશમ કહો યા પ્રથમ કહો વૈરાગ્ય કહો યા માધ્યચ્ય કહો! દોષક્ષય કહો યા કષાય વિજય કહો - આ. તમામ સમતાના પર્યાયવાચી શબ્દો છે. શત્રુતાભરેલા હૃદયમાં આ ભાવાત્મક પરિવર્તન, મૈત્રી ભાવના હાર્દિક ચિંતનથી સંભવિત છે. શત્રુના હૃદયમાં મોક્ષપ્રીતિ પણ ભાવનાના બળથી જગાડી શકાય છે. મહાન દાર્શનિક રામાનુજાચાર્યઃ
ગુરૂઆશ્રમમાં એક દિવસે પ્રસન્ન થઈને ગુરુએ કહ્યું હું તારા ઉપર પ્રસન્ન છું રામાનુજ! આજે હું તને મંત્ર આપું છું. આ મંત્ર તને અપૂર્વ આનંદ અને સુખ આપશે. રામાનુજની આંખો હર્ષાશ્રુથી ભીની થઈ ગઈ. તે ગુરુના ચરણે નમી પડ્યા. ગુરુએ કહ્યું: “વત્સ!આ કલ્યાણ મંત્ર છે. આ મંત્રને છેવટે તો મોક્ષ તરફ લઈ જશે. દુનિયાની ચિંતાઓ અને જન્મમૃત્યુની ચિંતાઓથી મુક્ત કરીને તેને સંપૂર્ણ આનંદ અને મુક્તિની સ્થિતિ તરફ લઈ જશે.'
રામાનુજ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતાના ભાવથી જોતો રહ્યો. ગુરુએ ચેતવણીના સ્વરમાં કહ્યું: “વત્સ ! એટલું યાદ રાખજે, આ મહામંત્ર તારે કોઈને બતાવવાનો નથી, કહેવાનો નથી, તારી પાસે જ રાખજે.' રામાનુજનો આનંદ અવર્ણનીય હતો. એનું સમગ્ર અસ્તિત્વ અગમ્ય આનંદથી ઊભરાવા લાગ્યું. તેણે વિચાર્યું: “મારે આ મંત્ર સમગ્ર વિશ્વને આપવો જોઈએ. શત્રુ હોય કે મિત્ર, સૌને મોક્ષ મળવો જોઈએ. સર્વ જીવો પરમ સુખી કેમ ન બને?
રામાનુજ મંદિરે ગયો, મંદિરના શિખર ઉપર ચડ્યો. લોકોને બોલાવવા લાગ્યો અને મોક્ષ મંત્ર ગાવા લાગ્યો. પરંતુ ગુરુએ વચનભંગ માટે નરકમાં જવાનો અભિશાપ આપ્યો.
રામાનુજે કહ્યું “ગુરુદેવ, જો લોકોને મોક્ષસુખ મળતું હોય તો મને નરકમાં જવાનું પણ માન્ય છે. રામાનુજની મૈત્રી ભાવનાથી પ્રસન્ન ગુરુદેવે એને ક્ષમા આપી અને આશીર્વાદ આપ્યા. પછીથી રામાનુજ - રામાનુજાચાર્ય' નામથી પ્રસિદ્ધ બન્યા. સૂફી સંતો - શત્રુ પણ સુખી થાઓ:
એક ટોળી હતી સૂફી સંતોની. એ બધા અલ્લાને કેન્દ્રમાં રાખનારી વૈશ્વિક
[૧૪૦
૧૪૦
. છે.
શાનસુધારસ ભાગ ૩]