________________
છે ઃ ઃ સ્વજન હોય કે શત્રુ હોય, સુખ આપવા માટે કંઈક ત્યાગવું જ પડે છે. સર્વત્ર સર્વે સુહિનોમવન્તુ - આ વાત માત્ર બોલવાની નથી, સમય આવતાં બીજાંને સુખ આપવું પણ જોઈએ. દુઃખ દૂર ક૨વામાં પ્રયત્ન કરવો જ જોઈએ.
મૈત્રી ભાવનાના ચાર પ્રકાર :
આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ ‘ષોડષક’ નામના ગ્રંથમાં મૈત્રી ભાવનાના ચાર પ્રકારો બતાવ્યા છે -
(૧) ઉપકાર મૈત્રી (માધ્યમ ઉપકાર)
(૨) સ્વજન મૈત્રી (ઉપકાર ન હોય તો પણ)
(૩) પરિજન મૈત્રી (સ્વજન સંબંધ નિરપેક્ષ)
(૪) પરહિત ચિંતારૂપી મૈત્રી (સંબંધ નિરપેક્ષ, સર્વ પરિચિતો પ્રત્યે) ઉપકાર મૈત્રી :
કોઈ પણ સ્ત્રીપુરુષે આપણા ઉપર નાનો-મોટો ઉપકાર કર્યો હોય, તો સજ્જન અને સાત્ત્વિક પુરુષ એ ઉપકારને કદી ભૂલતો નથી.
અબ્રાહમ લિંકન પોતાની ચૂંટણીના કાર્યમાં અતિ વ્યસ્ત હતા. પ્રત્યેક દિવસ અને દરેક જાહેર સભા મહત્ત્વની હતી. એનું લક્ષ્ય હતું યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રમુખ થવાનું. એક દિવસ એ જ રીતે ચૂંટણીસભામાં જવાની તૈયારી કરી રહ્યા હતા એ સમયે એક વૃદ્ધ સ્ત્રીનો અગત્યનો - અર્જન્ટ તાર મળ્યો. અબ્રાહમ ગરીબ હતા ત્યારે એ સ્ત્રીના ઘરમાં તેમણે આશ્રય લીધો હતો. પત્ર એનો હતો.
લિંકન વકીલ બન્યા - પ્રસિદ્ધ વકીલ બન્યા. પેલી સ્ત્રીએ પોતાના પુત્રનો કેસ લડવા માટે લિંકને પોતાની પાસે બોલાવ્યા હતા. એ માટે પત્ર લખ્યો હતો. એ વૃદ્ધાના પુત્ર વિરુદ્ધ ગુનાઈત માનસ, શરાબી અને નિષ્ઠુર...ખૂન કરનાર તરીકેના આરોપ હતા.
લિંકન પત્ર મળતાં જ પોતાની ચૂંટણીસભામાં ન જતાં એ સ્ત્રીની પાસે પહોંચી ગયા અને એના પુત્રનો કેસ લડ્યા. વૃદ્ધાના આનંદની સીમા ન રહી.
ચિંતક ડિઝરાયેલી કહે છે - સૌની સાથે પ્રેમ-મૈત્રી કરવા માટે જ આપણો જન્મ થયો છે. અસ્તિત્વનો આ જ નિયમ છે, આ જ લક્ષ્ય છે.
પાક - પુસ્તકમાંથી ‘શેતાન' છેકી નાખવામાં આવ્યું :
મુસ્લિમ સાધ્વી રાબિયાની વાત છે. એક પુસ્તક વાંચતાં-વાંચતાં તેણે વાંચ્યું ઃ ‘શેતાનનો તિરસ્કાર કરો.’ એને આ કથન ગમ્યું નહીં. એ સાધ્વી વ્યથિત થઈ ગઈ.
૧૧૯
મૈત્રી ભાવના