Book Title: Prabuddha Jivan 2018 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 35
________________ તે જણાવે છે. કોઈકે વળી એવું પણ કહ્યું કે, “અર્થશાસ્ત્ર નીતિશાસ્ત્રની દાસી નથી!' આ વિચારને આગળ ચલાવીએ તો કહી શકાય કે જેમ પદાર્થ વિજ્ઞાનના નિયમોને નીતિશાસ્ત્ર સાથે નિસબત નથી તે જ રીતે અર્થશાસ્ત્ર - જે એક વિજ્ઞાન હોવાથી - નીતિશાસ્ત્ર સાથે સંબંધિત હોઈ ન શકે. જો નાનું બાળક દસમા માળેથી પડી જાય તો ગુરુવાકર્ષણના પદાર્થ વિજ્ઞાનના નિયમમાં ફેરફાર કરીને જીવ બચાવી શકાશે ? તેવી જ રીતે બજારના ભાવ નિર્ધારણમાં, શ્રમ બજારમાં કે અન્ય આર્થિક વ્યવહારોમાં નીતિને સ્થાને ન હોઈ શકે તેવું શુદ્ધ મૂડીવાદીઓ માને છે. ગરીબોને સબિસડી આપવી, અન્નક્ષેત્ર ચલાવવાં કે દાન કરવું તે પણ શુદ્ધ મૂડીવાદી વિચારો સાથે બંધબેસતા થતાં નથી. ગાંધીજીનો અર્થવિચાર મૂડીવાદ અને સામ્યવાદ એમ બંનેથી જોજનો દૂર અને આગવા જ સંદર્ભો ધરાવનાર છે. ગાંધીવિચારમાં માણસ અને માણસાઈ જ નથી પણ છેવાડાના માણસના ઉદયની - અંત્યના ઉદય - અંત્યોદયની હેતુલક્ષી નિસ્બત છે. વિનોબાની ભૂદાન પ્રવૃત્તિ આ જ ગાંધીવિચારનો પરિપાક છે. આ પ્રવૃત્તિને વિનોબાએ એક યજ્ઞરૂપે ચલાવી. ગાંધી-વિનોબાના આ એક જ વિચારને મૂડીવાદ તથા માર્ક્સવાદના સંદર્ભમાં તપાસવાથી આ અંત્યોદયકેન્દ્રી અભિગમનું મૂલ્ય સમજાશે, ભારતની આઝાદીની લગભગ સમાંતરે ફોર્મોસાને પણ આઝાદી મળી હતી. ૧૯૪૯-૫૦ ના દાયકામાં વિશ્વમાં યુદ્ધોત્તર એવા સામ્યવાદી ક્રાંતિના દિવસો હતા. તે સમયે ફોર્મોસામાં વુલ્ફ લાદિન્સ્કીએ જમીનની માલિકીને ગરીબલક્ષી બનાવી અને પરિણામે ત્યાં હિંસક ક્રાંતિ રોકાઈ ગઈ અને ટળી ગઈ. રોજગારી મળે. આજની ડેરીની પ્રવૃત્તિની જેમ ખાદીની પ્રવૃત્તિ પણ પાંગરે તો ખેતીના નબળાં-સબળાં વર્ષમાં ખેડૂતોએ આપધાત કરવા ન પડે. બીજું, રેંટિયા અને વણાટની પ્રવૃત્તિઓ સ્વરોજગારીની છે. આ રોજગારીથી થનારી આવક બહુ મોટી નહીં હોય પરંતુ તેનાથી સાદા જીવન ધોરણ માટે જરૂરી એવી ચીજવસ્તુઓની માંગ થતી રહેશે. તેવા અર્થકારણમાં મોટર-ગાડીઓ, આંનાખે તેવી અંગ્રેજી નિશાળો, યુનિવર્સિટીઓ વગેરે નહીં હોય પણ જીવનનો અસંતોષ અને સ્પર્ધા પણ નહીં હોય. સ્થાનિક પેદાશો વડે સ્થાનિક માંગ સંતોષાતી રહેશે અને તે રીતે ગામેગામ ગ્રામસ્વરાજ નીપજશે. આયાત-નિકાસ, મોટાં બજારો, ખોટી પ્રચારાત્મક અને છેતરામણી જાહેરાતો વગેરે નહીં હોય. પણ સૌને રોટી, કપડાં, ઓર મકાન મળી રહેશે. ઈર્ષ્યા અને હરિફાઈને બદલે સહકાર, પ્રેમ અને ભાઈચારાનું મહત્ત્વ હશે. આધુનિક અને પશ્ચિમના અર્થવિચારમાં સહકાર, પ્રેમ, અહિંસા, ભાઈચારો, વગેરે ઉદાત્ત પણ માનવજીવનની સુખાકારી માટે ઉપકારી એવા ભાવોની ગણતરી જ થતી નથી. તેનો અર્થ એ તો નથી જ કે આવા ભાવી અને લાગણીઓનું માનવજીવનમાં કોઈ સ્થાન જ નથી! પર્યાવરણનું અપાર અને અસાધ્ય નુકસાન, બર્બરતાની હદે પહોંચે તેવા રિફાઈ અને કાર્યક્ષમતાના ખ્યાલો, અસહ્ય બનતી જતી આર્થિક અસમાનતા, વ્યાપક બેકારી અને યુવા, ખેડૂત અને ગરીબ વર્ગની દિશાશૂન્યતા, મોટા લોકોના આર્થિક હિતોને પોષતી રાજ્યવ્યવસ્થા, વગેરે ગાંધીવિચારથી વિમુખ બનવાનાં પરિણામો છે. મુશ્કેલી એ છે કે મૂડીવાદ અને સામ્યવાદના આર્થિક વિચારોનો તર્ક દુર્યોધનના બળાપાને એક બૌદ્ધિક આધાર પૂરો પાડવાનો પ્રયાસ કરે છે. અત્યારનો માણસ પણ દુર્યોધનની જેમ કહી શકે કે અધર્મ શું છે તે હું સમજું છું પણ તેને ત્યજી શકતો નથી. આવા આધુનિક દુર્યોધનોને મૂડીવાદ કહે છે, ભાઈ આ બધું હરિફાઈ અને કાર્યક્ષમતા માટે અનિવાર્ય છે. તેના વગર સમાજની પ્રગતિ જ શક્ય નથી. બીજી બાજુ હિંસાખોરીને મૂલ્ય સમજનાર સામ્યવાદ જ પણ દુર્યોધનોને વૈચારિક ટેકો પૂરો પાડે છે. હિંસા કે ક્રૂરતા વડે દુનિયામાં ક્યાંય અમન-ચૈન પ્રગટ્યાં નથી, પણ સામ્યવાદ, શોષણના વિરોધ તરીકે હિંસાનો બચાવ કરે છે. સ્ટાલિન માઓની હિંસા તો ગાંધીજએ જોઈ ન હતી પણ હિટલર, મુસોલોની અને અમેરિકાની હિરોશિમા-નાગાસાકીની હિંસા તેમણે જોઈ હતી. ભારતમાં લગભગ તે જ અરસામાં, સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રીશ્રી ઉચ્છંગરાય ઢેબરે જમીનની પુનઃવહેંચણી કરી. પણ તે સુધારા પૂરની, તે ઝડપથી દેશવ્યાપી બની ન શકી. પણ વિનોબાના ભૂદાનયજ્ઞને લીધે સમસ્ત દેશ હિંસામાં હોમાતો બો આઝાદીની લડતમાં ભાગ ન લેનારા સામ્યવાદીઓના હાથમાં દેશનું સુકાન સોંપાયું હોત તો સ્ટેલિન અને માઓએ આચરેલી હિંસા ભારત માટે પણ નિર્માઈ શ્વેત! અહિંસા, વણજોતું નવ સંઘરવું, ચોરી ન કરવી, વગેરે જવાં નીતિશાસ્ત્રગત મૂલ્યોનો અર્થનીતિમાં પ્રવેશ થવાથી કેવી આપત્તિ અને સંકટ ટળ્યાં તે તરફ લક્ષ આપીએ તો ગાંધીના અર્થશાસ્ત્રનું પોત સમજાય. ગાંધી માત્ર આઝાદી નહીં પણ સ્વરાજ' ઝંખતા હતા. આ સ્વરાજના વિચારને પણ કેટલાક બૌદ્ધિકો યુટોપિયા – કલ્પનાનું સ્વર્ગ માને છે. પણ પશ્ચિમના મૂડીવાદી તેમ જ સામ્યવાદી અને મંત્રગન માળખાને જોડીને ગાંધીવિચારના પાયાના એવા ખાદીના ખ્યાલને સમજવા જેવો છે. જે લોકો ખાદીની માંગ કરે તો ગામેગામ ખેડૂતોને પૂરક ઑક્ટોબર- ૨૦૧૮ પબુ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષ ક ગાંધીજીએ હિંદ સ્વરાજ'ભલે નવ જ દિવસમાં લખ્યું પણ જગતને તેને વિશે વિચારવાની કોઈ ઉતાવળ નથી. --- ૩૪પ, સરસ્વતી નગર, આઝાદ સોસાયટી પાસે, અમદાવાદ - ૩૮૦૦૧૫ ફોન નં. ૭૫૬૭૨૨૭૪૩૭ સત્ય-અહિંસા-અપરિગ્રહ ૩૫

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212