________________
૨. પાણી
કુદરતી ઉપચારમાં માટીની જેમ જ જલોપચાર કે જલ ચિકિત્સાનું ઊંચુ સ્થાન છે. ગાંધીજી કહે છે: “આપણાં શરીરમાં ૭૦ થી વધારે ટકા પાણી છે. ઉપરાંત ‘આપણા બધા જ ખોરાકમાં ઓછું વનું પાણી હોય છે.' પાણીમાં પણ જીવનપ્રદાનની શક્તિ છે તે તાજગી અને સ્મૃર્તિ આપે તેવો અનુભવ છે જ. ગાંધીજીએ ખાસ કરીને કટિ સ્નાન, ઘર્ષણ સ્નાન, ચાદર સ્નાન અને એનિમાના પ્રયોગો કરેલા. કટિ સ્નાનમાં ટબમાં કમર સુધી શરીર પાણીમાં ડૂબે એ રીતે બેસવાનું - ધડ અને પગ પાણીની બહાર રહે. બજીયાત, તાવ, સ્ત્રીઓના માસિક સંબંધી રોગો આદિ પર ગાંધીજીએ પાણીના ઉપચારો સફળતાથી અજમાવ્યા હતા. કસ્તુરબા ઉપર તેમજ પરિવારજનો ઉપર આ પ્રયોગો કરેલા, જાત પર તો ખરા જ. આ ઉપચારો મૂળે તેમને લૂઈ કૂત્તેના પુસ્તકમાંથી વિશેષ રીતે મળ્યા હતા.
સન્નિપાતમાં ઘેરાયેલા અને બેવડો ન્યુમોનિયા થઈ ગયો હતો. તેવા પોતાના દીકરા મણિલાલને તેમણે ચાદર સ્નાન આપેલું ચાદર સ્નાનમાં ખાટલા પર બે-ત્રણ ગરમ ધાબળા પાથરવા તેના પર જાડી સુતરાઈ ચાદર ઠંડા પાણીમાં બોળી, ખુબ નીચોવીને તે ધાબળા પર પાથરવી અને તેના પર-દરદીને ચત્તો સુવડાવવો. તેનું માથું ધાબળાથી બહાર ઓશિકા પર રહે તેમ રાખવું. માથા ઉપર ભીનો નીચોવેલો ટુવાલ મૂકવો, દરદીને સુવડાવીને તરત ધાબળાના છેડા ને ચાદર ચોતરફથી ઉપાડીને લપેટવાં. હાથ, પગ, આખું શરીર-મોં સિવાય, ચાદરની અંદર હોય, જેથી બહારનો પવન ન જાય. એક-બે મિનિટમાં જ ગરમી જણાશે અને દરદીને સારું લાગશે.
હોય તો? ગાંધીજી લખે છેઃ ‘આપણે ગૂંગળાઈને મરી જઈએ.' તેઓ સમજાવે છેઃ ‘આકાશ તો આપણી પાસેથી જ શરૂ થાય છે, એટલું જ નહીં તે આપણી અંદર પણ છે અને તે અનંત છે.’ દરેક વસ્તુની ભીડભાડ રોગ પેદા કરે છે, ભલે તે પછી વિચારોની હોય કે સાધનોની હોય, તેમાંથી મુક્તિ મેળવવી. જરૂરિયાત જેટલું જ રાખવું.
એ આકાશનો આરોગ્ય જાળવવામાં ઉપયોગ કરવાનો છે. ગાંધીજી લખે છેઃ ‘એ સુદૂર અને અદૂર તત્ત્વની વચ્ચે ને આપણી વચ્ચે કંઈ જ આવરણ ન આવવા દઈએ.' અને તેઓ ત્યાં સુધી કહે છે કેઃ “આપણે શરીરનો અંતરાય પણ ન જોઈએ. એટલે કે શરીર રહે કે જાય તેને વિશે તટસ્થ રહીએ અને જો એમ મનને કેળવી શકીએ તો શરીરને ભોગની વસ્તુ તો કદી ન બનાવીએ, તેનો સદ્ઉપયોગ સેવા સારુ, ઈશ્વરને ઓળખવા સારુ, તેના જગતને જાણવા સારુ' તેના સાથે ઐક્ય સાધવા સારુ કરે છે.’ અવકાશની અંતિમ પરિણતિની વાત તેમણે ક્યાં પહોંચાડી! પણ ઘર કે વસ્ત્ર વિના ચાલવાનું નથી, છતાં શક્ય તેટલું ‘આપણે ધરબાર, વસ્ત્રાદિકનાં ઉપયોગમાં પુષ્કળ અવકાશ રાખીએ” તેમ ગાંધીજી લખે છે. ઘરમાં રાચરચીલું, કિંમતી જાજમો, સાધનો સંકળાશ વધારે એટલે તેમણે જીવનમાં સાદાઈની વાત કરી છે, સંતોષની વાત કરી. એમણે લખ્યું: ‘જેણે આકાશની સાથે સંબંધ બાંધ્યો છે તેને કંઈ નથી ને બધું છે.’
૩. આકાશ
આકાશ એટલે અવકાશ-મોકળાશ-ખાલી જગ્યા. જે આપણી આસ-પાસ ચોતરફ છે. આપણાં જીવનમાં આકાશ તત્ત્વનું સેવન ઓછું થાય છે. ગાંધીજી લખે છે: “આકાશનો જ્ઞાનપૂર્વક ઉપયોગ આપણે ઓછામાં ઓછો કરીએ છીએ.' જો આકાશ-અવકાશ ન
ગાંધીજી લખે છે: “જેમ એ સંબંધ વધતો ગયો તેમ મારું આરોગ્ય વધતું ગયું, મારી શાંતિ વધી, સંતોષ વધ્યો ને ધનેચ્છા સાવ મોળી પડી.' અવકાશની વાતને જ પછી તેઓ આગળ લઈ જાય છે અને લખે છે: “જેમ આપણી આસ-પાસ આકાશ છે તેમ જ આપણી અંદર છે, ચામડીમાં રહેલા એક-એક છિદ્રમાં, બે છિદ્રોની વચ્ચે જ્યાં જગ્યા છે ત્યાં આકાશ છે. એ આકાશ-અવકાશને આપણે ભરી મૂકવાનો પ્રયત્ન ન કરીએ તેથી આપણે આપણો આશ્ચર જેટલો જોઈએ તેટલો જ લઈએ તો શરીરમાં મો કળાશ
આ ઉપરાંત ગાંધીજીએ પાણીના ઉપચારો શીતળા, અછબડા, ખંજવાળ, ધાધર, શીળસ, મલેરિયા, ટાઈફોઈડ આદિ ઉપર સફળતાપૂર્વક કર્યા હતા. દુઃખતા ભાગ પર પાણીનાં પોતાં મૂકવાં. કે ગરમ-ઠંડા પાણીના શેક આપવા તેનો ઉપયોગ આજે પણ થાય છે. પણ માટીના ઉપચાર હોય, પાણીના હોય કે અન્ય હોય,રહ્યા કરે.' શરીરમાં મોકળાશ હોય તો જ બધી ક્રિયાઓ, શ્વાસોચ્છવાસ, રક્તભ્રમણ, પાચન, મળ વિસર્જન આદિ બરાબર ચાલે. વ્યક્તિએ ખાલી થવું અને ખાલી રહેવું એ મોટી કળા છે.
નિસર્ગોપચારનાં બધાં પાસાંથી જ, સર્વાંગીય સારવારથી જ રોગ નિવારણ થાય છે. કેવળ કોઈ એક ઉપચાર પરના અવલંબનથી ચિકિત્સા નથી થતી. પાણીની રોગ નિવારક શિક્તનો અનુભવ આપણી સાંસ્કૃતિક પરંપરામાં પણ હતો જ. પૃથ્વી માતા અને જ દેવતા પાસે સ્વાસ્થ્યની મદદ માંગવામાં આવતી જ.
કુદરતી ઉપચારમાં જેનું અગત્યનું સ્થાન છે તે ‘ઉપવાસ ચિકિત્સા” એ પણ આકાશ તત્ત્વની જ ઉપાસના છે. તેઓ ઉપવાસના
નિષ્ણાંત હતા અને આરોગ્ય તેમજ અધ્યાત્મ માટે તેમણે તેના ફળદાયી અખતરા કરેલા અને સત્યાગ્રહનું એક બળકટ શસ્ત્ર પણ તેને બનાવેલું. ઉપવાસ ચિકિત્સા પણ કુદરતી ઉપચારનો અત્યંત મહત્ત્વનો ભાગ છે. તેનું એક શાસ્ત્ર છે. તે અંગે દેશ અને પરદેશમાં પણ ઘણું લખાયું છે. આયુર્વેદે પણ બંધનું પરમ ઔષધં કહેલું છે. ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક
સત્ય-અહિંસા-અપરિગ્રહ ૪૯