________________
છે. તૃષ્ણાને સ્થાને સંતોષ એ જ આખર તો સુખમય વ્યવસ્થાની શરત છે. સંતોષ અને વ્યક્તિગત જીવનપરિવર્તન, એ તેનો સાર
છે
ખરેખર તો પોતાની પાસે જેટલું હોય તેટલાથી સંતોષ માનીને જીવવું જોઈએ. ઈશ્વરે જે આપ્યું છે તેમાં જ સંતોષથી રહેતાં શીખવું જોઈએ.
અંતિમ આખર એક વાત સમજી લો. માનવજાતિ માટે આવી સાચા આનંદની પ્રાપ્તિમાં વાસ્તવિક પ્રગતિ કેવળ વ્યક્તિગત અંગત પ્રયત્ન દ્વારા જ શક્ય થશે. સામુદાયિક પ્રયત્ન પહેલો નહીં પણ પહેલાં તો વ્યક્તિગત પ્રયત્ન જ થવો જોઈએ.
રનિ કહે છે. માણસની આંખે સ્વાર્થનાં પડળ પડેલાં છે. દરેક માણસે જાતે જ પોતાની આંખ આડેથી એ ખસેડી નાંખવા પોતાની જાતે જ પ્રયત્ન કરવાનો છે :
જ
ત્યારે જ શાંતિનો વ્યવહાર, શાંતિ માટેનું અર્થશાસ્ત્ર નિર્માણ થશે. તે ઉત્પાત કરવા કે ત્રાસ દેવા માટે નહીં પણ ઉત્પાત અને ત્રાસમાંથી માનવને મુક્ત કરવા માટે હશે. જે કચડાયેલ છે તેનો આત્મા ત્યારે જ શાંતિ પામશે અને શાંતિનું વાતાવરણ ત્યારે જ પેદા થશે.
કચડાયેલાના ઉદયની - અન્ટુ ધિસ લાસ્ટ - ની ભાવના આવી છે. જ્યાં સુધી સમાજમાં કચડાયેલાનાં દુ:ખ મટે નહીં ત્યાં સુધી આ ભાવના અને તેને અંગે કરેલ ચર્ચાવિચારણા સમયને સંગત અને પ્રસ્તુત બની જ રહે છે, આજે અને કદાચ આવનારા યુગો પર્યંત માનવતા પ્રતિ ન્યાયનું આ સત્ય તો સાર્વભૌમ સુસંગત રહેનારું છે. એ જ છે રસ્કિન-વિચારને પ્રસ્તુત બનાવનારી સમય સંગતિ, અસીમ અને અબાધિત.
રસ્કિને આત્મકથનાત્મક ગ્રંથ પ્રીટેરિટામાં લખ્યું :
પ્રભુની શાંતિનો વાસ જો ક્યાંય હોય તો તે ગરીબ મહેનતુ માનવીના હૃદયની ઉદારતામાં અને તેની કર્મનિષ્ઠામાં છે; અને ધર્મ જો કોઈ એકમાત્ર સુસંગત હોય તો તે ઉપયોગી કામ, અનન્ય પ્રેમ અને નિઃસ્વાર્થ ત્યાગનો કેવળ છે; એવી પ્રતીતિ મને નિરંતર વધુ ને વધુ દૃઢ થતી ગઈ છે.
વિધાન પરથી જોઈ શકાય છે :
મને લાગે છે કે યંત્રવાદનું જોર અને વ્યાપારી ધનલોભની ઘેલછા આજે તો એટલી બધી વધી ગઈ છે કે તેનો સામનો કરવાનું કપરું બની ગયું છે. અને તેથી મેં હવે માત્ર સ્થાપત્યના જ નહીં પણ કલાનાં તમામ ક્ષેત્રોના અભ્યાસમાંથી મારી જાત ખેંચી લીધી છે, તથા જેમ કોઈ શહેર યુદ્ધછાવણીમાં ફેરવાઈ જાય ત્યારે નાગરિકો માટે ખોરાકની વ્યવસ્થા ઉપાડી લેવામાં આપણે લાગી જઈએ તેમ હવેની દુનિયાના માણસમાત્રને પેટ પૂરતું કેમ મળી રહે અને તે માટેની ઉત્તમ વ્યવસ્થા કેવી હોય તેની ખોજના કાર્ય માટે મેં મારી જાતને સોંપી દીધી છે.
ટૉલ્સ્ટૉયે રસ્કિન વિશે લખ્યું હતું :
જવલ્લે જ જોવા મળે તેવા એ માનવી હતા. જેઓ હૃદયથી વિચારનારા હોય છે તે પૈકીના વિચારક એ હતા. તેમણે પોતાનેછું દેખાય કે અનુભવાય તેટલા પૂરતો જ વિચાર નથી કર્યો, પણ આવનારા ભાવિમાં દરેકેદરેક વ્યક્તિએ જેનો વિચાર કરવાનો છે અને એ જે કહેવાની છે, તે જ વાત રસ્કિને કરી છે.
૧૭૦
તેમના આ નૈતિક ચારિત્ર્યનું બલ તેમના જીવનમાં સાંગોપાંગ અખંડ હતું. તેમની નૈતિક્તાને એ જ ઘટિત હતું. બાગકામ, ખોદવાનું કામ, સફાઈકામ જેવાં શ્રમનાં અનિવાર્ય કામ વિશે આપણે જે ટૉલ્સ્ટૉય અને ગાંધીમાં જોઈએ છીએ તેવી જીવનદૃષ્ટિ તેમનાં લખાણ અને સામાજિક કાર્યો મારફત જોવા મળે છે.
મહામના રસ્કિનનું જીવન સર્વસામાન્ય અંગ્રેજ કરતાં ઘણી ઘણી બાબતોમાં મૂળથી જ અનોખી મૌલિક વિશેષતાઓવાળું હતું. તેમનાં એવાં જવન અને વિચાર થકી જગત આખાની માનવતાને સ્પર્શનાર ઉત્તમોત્તમ ચિંતન અન્ટુ ધિસ લાસ્ટ ગ્રંથ તેમના તરફ્થી મળ્યો.
સત્ય-અહિંસા-અપરિગ્રહ
મહાત્મા ગાંધી બન્ટુ પિસ લાસ્ટ વિશે આત્મકથામાં લખે છેઃ પોલાક... મને મૂકવા સ્ટેશન ઉપર આવેલા, ને ‘આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય તેમ છે. તે વાંચી જજો. તમને ગમશે', એમ કહી તેમણે રસ્કિનનું અટુ ધિસ લાસ્ટ મારા હાથમાં મૂક્યું. આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો મેં ઈરાદો કર્યો... જે થોડાં પુસ્તકો મેં વાંચ્યાં છે તેને હું ઠીક પચાવી શક્યો
એમ કહી શકાય એવા પુસ્તકોમાં જેણે મારા જીવનમાં તત્કાળ મહત્ત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો, એવું તો આ એક જ પુસ્તક કહી શકાય... મારી એવી માન્યતા છે કે જે વસ્તુ મારામાં હાડે ભરેલી હતી. તેનું સ્પષ્ટ પ્રતિબિંબ મેં રસ્કિનના આ ગ્રંથરત્નમાં જોયું ને તેણે મારી ઉપર સામ્રાજ્ય જમાવ્યું.
મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકા સત્યાગ્રહ લડત સમયે કન્જિન ઓપિનિયન મુખપત્રમાં અન્તુ ધિસ લાસ્ટનો સાર પ્રગટ કર્યો હતો. તે પછી સર્વોદય નામે પુસ્તિકા પ્રગટ કરીને તેની પ્રસ્તાવનામાં તેમણે તમામ ભારતીય માટે રસ્કિનના વિચારનું મહત્ત્વ બતાવ્યું છે
મહામના રસ્કિને પોતાની એ પ્રતીતિ મુજબ પોતાની જાતને પશ્ચિમના દેશમાં સાધારણ રીતે એમ માનવામાં આવે છે કે અન્ટુ ધિસ લાસ્ટની ભાવનાના કાર્ય માટે છેક કેટલી હદે, પોતાના વધારે માણસનું (‘મૅજૉરિટી’નું) સુખ-તેઓનો ઉદય-એ વધારવાનું પ્રિય કલાના ક્ષેત્રના સંન્યાસપૂર્વક, સમર્પી દીધી તે તેમના નીચેનાંમાણસનું કામ છે. સુખ એટલે માત્ર શારીરિક સુખ, પૈસાટકાનું
પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક
ઑક્ટોબર- ૨૦૧૮