Book Title: Prabuddha Jivan 2018 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 48
________________ અને તેમના સર્જનહાર પ્રભુનો દાસ બનીને રહે છે, તે બીમાર નહીં પડે. અને પડે તો પણ ઈશ્વરના આધારે રહી શાંતિથી મરણને ભેટશે. પોતાના ગામના ખેતરની કોઈ ઔષધિ મળી, તો લેશે... આજે તો આપણને નથી ચોખ્ખું પાણી મળતું, નથી ચોખ્ખી માટી મળતી, નથી ચોખ્ખી હવા મળતી. આપણે સૂર્યથી સંતાઈને રહીએ છીએ. આ બધાનો વિચાર કરીએ અને યોગ્ય ખોરાક યોગ્ય રીતે લઈએ, તો કેટલાય યુગોનું કામ થયું સમજ્જો.’ ૧૯૪૬માં તેઓએ ઉપરના વિચારો આપ્યા અને પછી કુદરતી ઉપચાર વિષે સતત વિચારતા રહ્યા, અનેક પત્રોમાં તેની વિગત આપતા રહ્યા અને હરિજન બંધુ'માં તે વિષે લેખો લખતા રહ્યા. ખૂબ તીવ્રતાથી તેમના મનમાં આ વાત ચાલતી હતી. ‘કુદરતી ઉપચારના મૂળમાં એ વાત છે કે તેમાં ઓછામાં ઓછું ખરચ અને ઓછામાં ઓછી ધમાલ હોય. કુદરતી ઉપચારનો આદર્શ એ છે કે પૃથ્વી તત્ત્વ એટલે માટી. આપણે ત્યાં કહેવાય છે ‘શરીર એ માટીનું પુતળું છે. માટીનું કુદરતી ઉપચારમાં અદકેરું સ્થાન છે. વિવિધ પ્રકારના માટીના ઉપચારો તેમાં કરવામાં આવે છે. ગાંધીજીને નાનપણથી જ કબજીયાત રહેતી અને તે માટે ફૂટ સોલ્ટ અથવા કોઈ ડૉક્ટરની દવા લેતા. પછી સમજાયું એટલે નિયમિત રીતે લાંબુ ચાલવાનું શરુ કર્યું. દરમિયાન એડોલ્ફ જુસ્ટનું પુસ્તક ‘રિટર્ન ટુ નેચર' તેમના વાંચવામાં આવ્યું, જેમાં માટીના વિવિધ ઉપચાર, ઉપચાર થઈ શકે એવાં સાધનો બનતાં સુધી ગામડામાં જ હોવાંસ-વિગત દર્શાવેલ. ગાંધીજીએ પ્રથમ પોતાનો કબજીયાત મટાડવા જોઈએ અને ન હોય તો પેદા કરી લેવાં જોઈએ.' શાકભાજી, ફળ, દૂધ વગેરે વિપુલ પ્રમાલમાં ગામડામાં જ પેદા થાય તેવું તેઓ ઈચ્છતા હતા. ગામડાના સાચાં સ્વાતંત્ર્ય અને સ્વાયત્તતા કે ગામ સ્વરાજ એ તેમની સ્વ-નિર્ભરતામાં છે. તેનો પ્રયોગ શરૂ કર્યો. ઠંડા પાણીમાં માટી પલાળીને તેને પેટ-પેડુ પર મૂકતા અને તેથી તેમને લાભ થયો. પછી તો ગુમડા પર, વિંછીના ડંખ પર, દુખાવા પર અને ટાઈફોઈડમાં પણ માટીના પ્રયોગ પરિવાર કે આશ્રમવાસીઓ પર કર્યા. તેમાં માર્ટીની લોપરી તેઓ માનતાઃ ‘બીમારી માણસ માટે શરમની વાત હોવી જોઈએ.’ કારણ કે ‘બીમારી કોઈપણ દોષની સૂચક છે. જેનું તન, મન સર્વથા સ્વસ્થ છે તેને બીમારી થવી ન જોઈએ.' અને આ મૂક્તા કે માટીનો પાટો બાંધતા. 'આરોગ્યની ચાવી' પુસ્તિકામાં તેમણે પોતાની કબજીયાતની સારવારમાં માટીના ઉપયોગ વિષે લખ્યું છેઃ ‘આ માટીની લોપરી ૩ ઇંચ પહોળી અને ૬ ઇંચ લાંબી, ૬ બીમારી એટલે? ‘વિકારી વિચાર પણ બીમારીની જ નિશાની છે.’ તેમણે ૧૯૪૬માં જ લોકમાન્ય ટિળકની પુણ્યતિથિ પ્રસંગે કહેલું: મારી કલ્પના મુજબનું સ્વરાજ નિર્માલ્ર કરવા માટે કુદરતી ઉપચાર એ ઘણી મહત્વની વસ્તુ છે. સ્વરાજ હાંસલ કરતાં પહેલાં શરીરની, મનની અને આત્માની એમ ત્રિવિધ શુદ્ધિની જરૂર છે.' મૂળ વાત ગાંધીજી કહે છેઃ ‘દરદ થયા પછી મટાડવાના ઈલાજો કરવા કરતાં દરદ થાય જ નહીં તે મહત્ત્વનું છે.' એટલે તેઓ માટે મહત્ત્વનું છે કુદરતી જીવન, વ્યાયામ અને રામનામ. તેઓ બીમારીને અપરાધ માનતા અને જો બીમાર થવાય છે તો કુદરતી તત્ત્વો દ્વારા સાજા થવાની શરીરની શક્તિને જ ઉજાગર કરી સ્વસ્થ થવાનું છે. બહારથી દવા કે દવાના બાટલા રેડીને નહીં. પોતાની જાતે જ ઉપચારો કરીને. જ આ માટી ચોખ્ખી હોવી જોઈએ. તેઓ લખે છે: ‘ચોખ્ખી લાલ માટી, સહુથી સારી પણ તે બધે ન મળે તો ચિંતા નહીં. જે મળે તે ચોખ્ખી હોવી જોઈએ. તે માટી ચીકણી ન હોવી જોઈએ તેમ છેક રેતાળ પણ નહીં. માટી ખાતરવાળી ન જ હોવી જોઈએ, કાંકરી ન હોવી જોઈએ. તેને ‘ઝીણી ચારણીમાં ચાળવી’ અને જો સાફ માટી ન મળે તો જે મળે તે માટીને શેકવી, શેકીને વાપરવી પંચમહાભૂત અને તે દ્વારા ચિકિત્સા આરોગ્ય વિષે સામાન્ય જ્ઞાન' પુસ્તકના પ્રારંભે તેમણે લખ્યું છેઃ ગાંધીજીએ પોતાના આરોગ્ય વિષયક બંને પુસ્તકોમાં માટી અને તેના ઉપચારો વિષે વિગતે લખ્યું છે પણ તેમણે સલાહ અને ચેતવણી આપી જ છેઃ ‘કેવળ માટી, પાણી વગેરે બાહ્ય ઉપચાર કરવામાં આવે, પણ આહાર નિયંત્રણ ન હોય ને સાથોસાથ વિશ્રામ અને રામનામ પર ધ્યાન ન અપાય તો, દર્દીને સંપૂર્ણ લાભ ન થાય. પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક પૃથ્વી, પાણી, આકાશ, તેજ ને વાયુ આ પંચતત્વના ખેલ જગત કહેવાયું જગત આ પાંચ તત્ત્વનું બનેલું છે, કબીરજીનાં પ્રસિદ્ધ ભજનમાં આવે છેઃ ‘પંચતત્ત્વ ગુણ દિની ચદરિયાં....' શરીર પણ તેનું જ બનેલું છે. તેઓ કહેતાઃ 'આપણે પંચમહાભૂતોથી જેટલા દૂર સત્ય-અહિંસા-અપરિગ્રહ ૪ ૮ જઈશું, એટલું ગુમાવીશું.' રોગનું કારણ કુદરતથી દૂર જવું, આરોગ્ય પ્રાપ્તિનો ઉપાય કુદરતથી નજીક આવવું. રોગ એટલે શારીરિક અને માનસિક બન્નેનું અસંતુલન, અસ્વસ્થતા. આજે દુનિયાના અનેક દેશોમાં ‘ફોરેસ્ટ પધ્ધતિ’ પ્રચલિત થતી જાય છે, જેમાં વ્યક્તિએ કુદરતની વચ્ચે જ રહેવાનું હોય છે. ૧. પૃથ્વી બાજરાના રોટલાથી બમણી જાડી અથવા અડધો ઇંચ જાડી મુવી.... માથું દુખતું હોય તો માટીની લોપરી મૂકવાથી ઘણો ફાયદો થયેલો મેં અનુભવ્યો છે. સેંકડોની ઉપર આ પ્રયોગ કર્યા છે... વહેતા ફોડા પર મેં તો માટી મુકેલી છે.... સખત તાવમાં માટીનો ઉપયોગ પેડુ ને માથા પર કર્યો છે... ટાઈફોઈડમાં તો મેં માટીનો બહોળો ઉપયોગ કર્યો છે, તે તાવ તો તેની મુદતે જ જાય માટીએ હમેશા દર્દીને શાંતિ આપી છે.’ ઑક્ટોબર- ૨૦૧૮

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212