Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ઉવસગ્ગહરં સ્તોત્ર અકલ્યાણની ચર્ચા કરી રહ્યા છે? કુમાર! યોગી લેકને સતાવવામાં સાર નથી, એ આપે સમજી લેવું ઘટે છે. કમઠા હવે પિતાનું મૂળ સ્વરૂપ પ્રકટ કરી રહ્યો હતો.
એ સાંભળી પાર્શ્વકુમારે કહ્યું: “લેકના હિતનું રક્ષણ થાય, એ જોવાની અમારી ફરજ છે. એ ફરજ બજાવતાં કદી ભેગીઓને ખેફ વહેરી લેવું પડે તો પણ અમે તેની દરકાર કરતા નથી. જ્યાં ધર્મને નામે ધતિંગ ચાલી રહ્યાં હોય અને જ્યાં તપને નામે હિંસાનું આચરણ થઈ રહ્યું હેય, ત્યાં ચૂપ રહેવું, એ નરી કાયરતા છે.”
“તે શું હું આ તપ વડે હિંસાનું આચરણ કરી રહ્યો છું ?” કમ સીધે પ્રશ્ન પૂછે.
એ વાતની સાબીતી આ કાષ્ઠો પૂરશે.” એમ કહી પાWકુમારે સેવકેને હુકમ કર્યો કે “ધૂણીમાંનું આ મોટું લાકડું બહાર ખેંચી કાઢે અને તેને સાચવીને ફાડ કે જેથી તેની અંદર રહેલા નાગને હરકત પહોંચે નહિ.”
આ સાંભળી ત્યાં ઊભેલા બધા લેકે આશ્ચર્ય પામ્યા. કમઠ પણ આતુરતાથી જેવા લાગે કે હવે શું થાય છે? અને બધાની અજાયબી વચ્ચે પાર્શ્વ કુમારના વચન સાચાં જણાયાં. એ લાકડાને ચીરતાં આખા શરીરે દાઝી ગયેલ એક નાગ તેમાંથી બહાર નીકળી આવ્યા.
આ નાગ હવે બહુ વખત જીવવાનો નથી, માટે તેને નમસ્કારમહામંત્ર સંભળાવે.” પાર્શ્વ કુમારે સેવકને હુકમ કર્યો અને સેવકેએ તે નાગને પવિત્ર નમસકારમંત્ર સંભ