Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ઉવસગ્ગહર સ્તાન્નના અજબ પ્રભાવ
૧૧૫
શત્રુંજયની યાત્રા કરી અને ત્યાં સાધર્મિકવાત્સલ્ય, શ્રી સંઘપૂજા, દીનોદ્ધાર વગેરે કાર્યાં કર્યાં. સ`પત્તિની સા કતા આથી બીજી કઈ હેાઈ શકે ?
પ્રિયંકર રાજાએ ધનવ્રુત્ત શેઠની પુત્રી શ્રીમતીના ગુણાથી આકર્ષાઈ તેને પટ્ટરાણી બનાવી હતી. તેનાથી તેને જયકર નામનો એક તેજસ્વી પુત્ર પ્રાપ્ત થયા હતા. સુશિક્ષિત થયેલા આ પુત્રને ચેાગ્ય અવસરે રાજ્ય સોંપી પ્રિયંકર રાજાએ પેાતાનું શેષ જીવન માત્ર ધર્મની આરાધનામાં જ ગાળ્યું અને પ્રાંતે આરાધના–અનશન કરી કાળધર્મ પામતાં તે સૌધર્મ દેવલાકમાં ઉત્પન્ન થયેા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યનો ભવ ધારણ કરી તે સિદ્ધ-બુદ્ધ-નિરંજન થશે, એટલે કે મેાક્ષ પામશે.