Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૫૭
જ છે.
યંત્રને મહિમા પર ચિતરાયેલા હોય છે અને પૂજનના કામમાં લેવાય છે, એટલે તે પણ એક પ્રકારના પૂજનયંત્રે જ છે.
મૂર્તિ તૈયાર થયા પછી શુભ દિવસે અને શુભ મુહૂર્ત તેને અંજનશલાકાવિધિ અર્થાત્ પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરવામાં આવે છે અને પછી તેને મંદિરમાં વિધિપૂર્વક ગ્ય સ્થાને બેસાડવામાં આવે છે. ત્યારપછી જ મૂર્તિ પૂજનને
ગ્ય ગણાય છે, તે જ પ્રમાણે પૂજનયંત્ર તૈયાર થયા પછી તેને સંસ્કારવિધિ અથવા પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરવામાં આવે છે અને ત્યારપછી જ તેનું પૂજન શરૂ થાય છે. તે માટે સામાન્ય વિધિ એ છે કે જ્યારે મૂર્તિને અંજનશલાકાવિધિ થવાનું હોય, ત્યારે યંત્રોને પણ ત્યાં પધરાવવા, જેથી તેના પર પ્રાણપ્રતિષ્ઠાના સર્વ સંસ્કાર થઈ જાય. આ રીતે તૈયાર થયેલા હજારે યંત્રો આજે મંદિરમાં બિરાજે છે. અને તેનું નિયમિત પૂજન-અર્ચન થાય છે.
યંત્ર પર ગુરુ મહારાજને વાસક્ષેપ નંખાવીને કે મેટી, પૂજા ભવાતી હોય, તેમાં તેને પધરાવીને પણ પૂજનમાં લેવાને પ્રચાર છે.
યંત્ર સ્થાપિત કર્યા પછી કઈ દિવસ અપૂજિત રાખી શકાય નહિ. તેની ધૂપ, દીપ, વાસક્ષેપ વગેરે વડે નિયમિત પૂજા કરવી જોઈએ.
યંત્રને સાચવીને રાખવા માટે લાલ વસ્ત્રમાં લપેટીને કાષ્ઠ અથવા લેખંડ વિના બીજી કોઈ પણ ધાતુની પેટીમાં રાખ જોઈએ.