Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૩૨૨
ઉવસગ્ગહર સ્તાત્ર
લાગી. આથી એક દિવસ કાજળશાએ આવીને કહ્યું : ‘તમે જે મંદિર બંધાવા છે, તેમાં અર્ધો ભાગ મારે રાખજો.’
મેઘાશાએ કહ્યું : હાલ તા આ પ્રતિમાજીના પ્રભાવે મારી પાસે પૂરતું ધન છે. વળી તે પ્રતિમાજીના મેં પાંચ સેા ટકા આપેલા, તે પણ તમે મારી પાસેથી વસુલ કર્યાં હતા, એટલે હાલ તા મારું કામ મને જ કરવા દે.’ આથી કાજળશાને ઘણું ખોટુ લાગ્યું અને તેણે કોઈ પણ ઉપાયે મેઘાશાને ઠેકાણે પાડી દેવાના નિ ય કર્યાં.
અનુક્રમે કાજળશાની નાની પુત્રીના લગ્નના અવસર આવ્યા, ત્યારે તેણે પોતાના બહેન-બનેવીને આમંત્રણ આપ્યું. તેમાં બહેન ગઈ અને અનેવી એટલે મેઘાશા ગયા નહિ; કારણકે તેને દૈવી ઈશારા થઈ ગયા હતા કે ‘તારે આ લગ્નમાં જવા જેવુ નથી. છતાં જવાનુ થાય તેા સાથે ભગવાનનુ નમણુ લેતે જજે.’
(
મેઘાશા નહિ જવાથી કાજળશા તેમને તેડવા માટે જાતે આવ્યા અને તમે નિહ આવે તે મારા આખા પ્રસ’ગ અગડશે ’ વગેરે અનેક વચના ખેાલતાં મેઘાશા લગ્નમાં જવા તૈયાર થયા, પણ નીકળતી વખતે ભગવાનનું ન્હવણ લેવાનુ ભૂલી ગયા. આનું નામ ભવિતવ્યતા !
લગ્નમાં પૂર્વાંસંકેત અનુસાર મેઘાશાને વિષમિશ્રિત દૂધ પીરસવામાં આવ્યું. આ વખતે મેઘાશાને પેલે દેવી ઈશારા ચાદ આવ્યા, પણ ભાણામાં પીરસાયેલુ એઠું નહિ મૂકવાના