Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૩૪૬
ઉલ્લેા.’
આચાર્ય શ્રીએ ધીમા સ્વરે કહ્યુ :
દેવીએ કહ્યુ' : ‘ ભગવન્ !
ઉવસગ્ગહર સ્તોત્ર
હા જાગું છું.’
આ નવ કાકડાં છે, તે તમે
આચાર્યે કહ્યું : ' હું હવે જીવી શકીશ નહિ, તે
કાકડાં કેવી રીતે ઉકેલું ?
દેવીએ કહ્યું : · એ તમે ઉકેલી શકશેા, હજી તમે નવ અંગની વૃત્તિઓ રચીને શ્રી વીરપ્રભુના શાસનને શાભાવી શકશો.’
આચાર્યે કહ્યું : ‘ પણ એ બધું શી રીતે બની શકશે ? હું તે। અનશનની ઈચ્છાવાળા ’
દેવીએ કહ્યું : ‘ ભગવંત!” નિરાશ થશે નહિ. શેઢી નદીના કિનારે હાલ જ્યાં સ્થંભનપુર નગર છે, ત્યાં ખાખરાના ઝાડ નીચે જમીનમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા છે, તે તમારા પ્રભાવથી પ્રકટ થશે અને તેનાં દર્શન માત્રથી તમારા કુષ્ટરોગ નાશ પામશે.’
6
પ્રભાતમાં સંઘ વંદન કરવા આળ્યે, ત્યારે આચાર્ય શ્રીએ સ્થંભનપુર જવાની ઈચ્છા દર્શાવી. શ્રાવકે વિચારમાં પડયા કે અશક્ત શરીરે એટલે બધે દૂર શી રીતે પહોંચાશે ?’પણ છેવટે તેઓ આચાર્યશ્રીને લઈ સેઢી નદીના કિનારે આવ્યા અને પ્રતિમાજીની શોધ કરવા લાગ્યા, પણ પ્રતિમાજી મળ્યા નહિ. એવામાં ખાખરાના એક ઝાડ નીચે એક ગાયને દૂધ ઝરતી જોઈ. તેમણે આ વાત આચાર્યશ્રીને કહી. એટલે