Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 454
________________ :૩૩૮ ઉવસગ્ગહરે તેત્ર બનાવી પૂજન કર્યું અને એ રીતે પિતાને નિયમ સાચવીને ભેજન કર્યું. પશ્ચાત્ એ પ્રતિમાજીને કૂવામાં પધરાવી દીધાં, પણ તે પીગળ્યાં નહિ, અખંડ રહ્યાં. પાછે સાર્થવાહ ફરતો ફરતે ત્યાં આવ્યું. તે વખતે રાત્રે અધિષ્ઠાયક દેવે સ્વપ્ન આપ્યું, એટલે સૂતરના તાંતણે બાંધી પ્રભુજીને બહાર કાઢ્યા. અનુકમે ત્યાં મોટું દહેરાસર બંધાવી તેમાં આ પ્રતિમા જીને પધરાવ્યા. તે લેહ સમાન કઠણ હેવાથી લઢણ - પાર્શ્વનાથ નામ પડ્યું. અહીંના લોકોને તેની ઘણી આસ્થા છે. [૨૨] શ્રી વરકાણુ પાર્શ્વનાથ શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં પ્રસિદ્ધ તીર્થોની ગણનામાં વરકાણાતીર્થને સમાવેશ થાય છે. “સક્લતીર્થ વંદનામાં અંતરિક વકાણે પાસ' એ શબ્દો વડે તેનું સૂચન થયેલું છે. આ તીર્થ રાજસ્થાનમાં રાણી સ્ટેશનથી બે માઈલ દૂર આવેલું છે. પ્રથમ અહીં વરકનક નામનું એક મોટું નગર હતું અને તેમાં અનેક જિનમંદિરે શેભી રહ્યાં હતાં, પરંતુ રાજકીય કાંતિમાં એ બધું ભૂગર્ભમાં ભળી ગયું અને તેના પર હાલનું ગામ વસ્યું. અહીં મેવાડના રાણુ કુંભાના સમયમાં શ્રી માલપુરના એક ધનાઢય ગૃહસ્થ બાવન દેવકુલિકાવાળું ભવ્ય જિનમંદિર નિર્માણ કરાવ્યું, તે આજે વિદ્યમાન છે. તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જે બિંબ છે, તે ઘણું પ્રાચીન

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478