Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૩૧૦
ઉવસગ્ગહર સ્તોત્ર લીધી અને કારણ પૂછ્યું તે ભંડારીજીએ રાજાના હુકમની વાત કરી. યતિજી નિમિત્તશાસ્ત્રના જાણકાર હતા. તેમણે કહ્યું: “તમને કંઈ થશે નહિ. નિર્દોષ પાછા આવશે.”
ભંડારી જોધપુર ગયા અને રાજાને મળ્યા. તે વખતે તેમના મનમાં પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ ચાલુ હતું. રાજાને તેમની મુખમુદ્રા જોતાં જ સદ્ભાવ ઉત્પન્ન થયે અને તેઓ કદી પણ ખોટું કામ કરે નહિ” એવી ભાવના જોરદાર થતાં તેમને સન્માન આપ્યું.
જોધપુરથી પાછા ફરતાં ભંડારીજી કાપરડા આવ્યા અને પેલા યતિજીને મળ્યા. યતિજીએ આ ખુશાલીના બદલામાં કાપરડામાં એક જિનમંદિર બંધાવવા જણાવ્યું અને ભંડારીજીએ એ યતિશ્રીની મદદથી ત્યાં ભવ્ય મંદિર બંધાવ્યું, જે આજ સુધી એક તીર્થધામની ખ્યાતિ ભેગવી રહ્યું છે. - મંદિરના ત્રણ માળમાં ચમુખજી છે, જેમાં પહેલા માળે ઉત્તરસન્મુખ મૂળનાયક શ્રી સ્વયંભૂપાર્શ્વનાથ, પૂર્વમાં શ્રી શાંતિનાથ, દક્ષિણમાં શ્રી અભિનંદન અને પશ્ચિમમાં શ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રતિમાઓ છે.
આ મંદિરને વિસ્તાર તારંગા કરતાં વધારે છે. એને ફરતી વિશાળ ધર્મશાળા છે, તે અમદાવાદનિવાસી શેઠ માણેકલાલ મનસુખભાઈએ બંધાવેલી છે. આ મંદિરનું શિખર પાંચ માઈલ દૂરથી દેખાય છે.
આ મંદિરને છેલ્લો જીર્ણોદ્ધાર આચાર્ય શ્રીમદ્ વિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૭૫ માં કરાવેલ છે.