Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 427
________________ શ્રી પાનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો ૩૧૧ [૮] કાશી (વારાણસી) વીશ જિનેશ્વરદેવનાં ૧૨ કલ્યાણકમાંથી ૧૬ કલ્યાણકે કાશી અને તેની આસપાસના વિભાગમાં થયેલાં છે, એટલે તે આપણે માટે એક મહાન તીર્થભૂમિ છે. વળી પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન એ ચાર કલ્યાણકો અહીં થયેલાં હેવાથી તેની મહત્તા વિશેષ છે. એક કાળે આ નગરીમાં જૈનોનું પ્રભુત્વ હતું, પણ કાલકમે અહીં વૈદિક મતાનુયાયીઓનું વર્ચસ્વ જામ્યું અને કેટલેક સમય બૌદ્ધોએ પણ આ નગરીમાં સારી એવી સત્તા ભેગવી, એટલે આપણું કઈ પ્રાચીન સ્મારક આ સ્થળે રહ્યું નથી. આજથી બે-ત્રણ વર્ષ ઉપર તે એવી સ્થિતિ હતી કે અહીં કેઈ જૈન મંદિર બાંધવાની રજા મળતી નહિ અને કદાચ રજા મળે તે પણ એ મંદિર બીજા દિવસે જ જમીન દોસ્ત થાય. આ વખતે ભેલપુર કે જ્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને જન્મ થયે મનાય છે, ત્યાં કેટલાક ભાટ લેકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિઓ રાખતા અને તેને વડના એક ઝાડ નીચે પધરાવી યાત્રાળુઓને તેની પૂજા કરાવતા. પરંતુ ધર્મઝનુનને એ યુગ ઓસરી જતાં જૈનેએ ધીમે ધીમે ત્યાં પિતાનાં મંદિર બાંધવા માંડ્યાં અને આજે ત્યાં નીચે પ્રમાણે મંદિરો નજરે પડે છે : - . .

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478