Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ચાથી ગાથાનું અવિવરણ
૨૦૫
:
અર્થાત્ સમ્યકત્વની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે ‘ તન્નત્યસર્। સમ્મત્ત-તત્ત્વાના અર્થની શ્રદ્ધા તે સમ્યકત્વ છે. શ્રી ઉમાસ્વાતિ વાચકે પણ · તત્ત્વાર્થ સૂત્ર ’માં તત્ત્વાર્થશ્રદ્ધાનું સભ્ય ફોનમ—તત્ત્વોના અર્થની શ્રદ્ધા તે ‘સમ્યગ્દર્શન ’એમ જણાવ્યું છે. અહીં એટલી સ્પષ્ટતા જરૂરી છે કે સમ્યગ્ દન એ સમ્યકત્વના જ પર્યાય શબ્દ છે. તેને ચાલુ વ્યવહારમાં સમિકત પણ કહેવામાં આવે છે.
હવે તત્ત્વ શબ્દની વિચારણા એ રીતે કરવામાં આવે છે. એક તેા પરમા થી અને બીજી વ્યવહારથી. તેમાં પરમાથ દૃષ્ટિએ ‘ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, મધ, સ ંવર, નિરા અને મેાક્ષ’ એ નવ તત્ત્વામાં શ્રદ્ધા રાખવી, એ સમ્યકત્વ છે. અને વ્યવહારદૃષ્ટિએ સુદેવ, સુગુરુ અને સુધર્મમાં શ્રદ્ધા રાખવી, એ સમ્યકત્વ છે.
નવતત્ત્વપ્રકરણમાં કહ્યું છે કે
जीवाइ नव पयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं । भावेण सदहंतो अयाणमाणेवि सम्मत्तं ॥
જીવ–અજીવાદ્ધિ નવ તત્ત્વ પદાર્થોને જે યથાર્થ સ્વરૂપે જાણે તેને સમ્યકત્વ હાય છે અને મંમતિપણાથી અથવા છદ્મસ્થપણાથી જે જે ન સમજાય તે તે પણ · શ્રી જિનેશ્વર દેવનુ કહેવુ બધું સત્ય જ છે' એમ શ્રદ્ધાથી માને, તેને. પણ સમ્યકત્વ હાય છે.
6
અન્યત્ર કહ્યુ છે કે—
6