Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
[ ૧૭ ]
સ્તાત્રરચના અંગે વિશિષ્ટ વિચારણા
શ્રી જિનેશ્વરદેવની ભક્તિ, આરાધના કે ઉપાસના અંગે જે સ્તુતિ-સ્તોત્રની રચના થાય, તે ઉત્તમ પ્રકારની હાવી જોઈ એ, એટલે કે ગંભીર આશયવાળી હાવી જોઈ એ. શ્રી હરિભદ્રસૂરિજીએ ચેાથા પચાશકમાં કહ્યું છે કે सारथुइથોત્તાિ તદ્ ચ પિત્તિયંળા ૩ ચ—ચૈત્યવંદના ઉત્તમ સ્તુતિ –સ્તાત્રાથી યુક્ત હોવી જોઈએ.' અહીં ચૈત્યવંદનાથી શ્રી જિનેશ્વરદેવની ભક્તિ, આરાધના કે ઉપાસનાની ક્રિયા સમજવી. તેમણે ‘ ગમીર-પચત્ય-વિચા શબ્દોથી ગંભીર આશયવાળાં પદો અને અંથી રચાયેલી કૃતિને ઉત્તમ કહી છે.
ઉવસગ્ગહર તેાત્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરવા નિમિત્તે રચાયેલુ છે અને તે ગંભીર આશયવાળાં પદો અને અથી યુક્ત છે, એટલે ઉત્તમની કોટિમાં મૂકાયેલુ છે અને તે જ કારણે ચૈત્યવંદનમાં ખેલાય છે તથા નિત્યપાઠ કરવા ચેાગ્ય નવ સ્મરણમાં નમસ્કાર મહામંત્ર પછીનું તરતનું જ સ્થાન પામેલુ છે.