Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૨૯
તે અંગે અમારે અનુભવ કંડકટરે અમને એક સ્થાને ઉતરી જવાની સૂચના કરી કે ત્યાંથી પગ રાતે આશરે ચાર માઈલ ચાલીને કુંદાગિરિ પર્વત પર જવાનું હતું.
અમે સામાન લઈને નીચે ઉતરી પડ્યા, પણ ત્યાં અમારા સિવાય અન્ય કે માનવી ન હતે. ચારે બાજુ જંગલ નજરે પડતું હતું અને અંધકારે તેની ભયાનકતા વધારી મૂકી હતી. અહીંથી ચાર માઈલને પ્રવાસ કરીએ તે કુંદાગિરિની તળેટીમાં વસેલા એક ગામમાં પહોંચી શકીએ, પણ અત્યારે એ પ્રવાસ કરવાની કેઈ શક્યતા ન હતી. જ્યાં દિવસે પણ ભૂમિ કે જાણકારની સહાય વિના જઈ શકાય નહિ, ત્યાં રાત્રે એકલા-અટુલા શી રીતે જવું? - સડકની એક બાજુએ એક ઘર આવેલું હતું, પણ તે અત્યારે બંધ હતું. તેના દ્વાર ખખડાવવાં કે કેમ? એ એક વિચારણીય પ્રશ્ન હતો. અમે કનડ ભાષા જાણતા ન હતા. એટલે આ પ્રદેશના મનુષ્ય માટે પરદેશી હતા અને એક પરદેશી માટે રાત્રિના આ સમયે આ સ્થળે દરવાજા ખુલે એ વાત મગજમાં બેસતી ન હતી. ત્યારે કરવું શું ? જે અહીં પડી રહીએ તે જંગલી જનાવરેને ભેટો થાય અને તેમના હુમલાથી બચવું ભારે થઈ પડે, એ નિશ્ચિત હતું.
' હવે જ અમને ખ્યાલ આવ્યો કે આ વખતે અહીં આવવામાં અમે પૂરેપૂરું સાહસ કર્યું હતું અને આગળ– પાછળને કંઈ વિચાર કર્યો ન હતે. આમ છતાં હિમ્મત હાર્યા નહિ. અમે વૈર્યનું અવલંબન લઈ સંકટ સમયની