Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
મંત્રસિદ્ધિ અંગે કિંચિત્
૧૪૩
:
અથ—ઈ તિ કહી સ’ભળાવી. મહારાજશ્રીએ કહ્યું : - પુણ્યવાન્ ! આમાં મુખ્ય વાત શ્રદ્ધાની છે. કયાં એ મુસલમાનની શ્રદ્ધા અને ક્યાં તમારી શ્રદ્ધા ! તમે પણ હવે એવી જ અડગ શ્રદ્ધા રાખા, એટલે તમને એ જરૂર શે. ’
માટી મામત
મંત્રસિદ્ધિ માટે તેના આમ્નાય પણ બહુ છે. જો મંત્રના આમ્નાય મળી જાય અને તે પ્રમાણે જ વિધિવિધાન કરવામાં આવે તે એ મંત્ર સત્વર સિદ્ધ થાય છે, અન્યથા સિદ્ધ થતા નથી. પરંતુ આજે મંત્રના આમ્નાય દુર્લભ અની ગયા છે, તેથી જ કહેવાયું છે કે—
निर्बीजमक्षरं नास्ति, नास्ति मूलमनौषधम् । निर्धना पृथ्वी नास्ति, आम्नायाः खलु दुर्लभाः ॥
• વર્ણમાલામાં કોઇ વર્ણ –અક્ષર એવા નથી કે જેનામાં એક યા બીજા પ્રકારનું મંત્રખીજ રહેલુ ન હેાય. વળી આ જગતમાં અઢાર ભાર વનસ્પતિ ઉગે છે, તેમાંની કોઈ વનસ્પતિનુ મૂળ એવું નથી કે જે ઔષધરૂપ ન હોય. વળી આ વિશાળ પૃથ્વીના કોઈ ભાગ એવા નથી કે જ્યાં કંઈ પણ ધન દટાયેલું ન હેાય. પણ તેના આમ્નાયા મળવા ખરેખર ! દુ ́ભ છે. ’
અહીં આમ્નાય શબ્દથી તેની વિશ્વસ્ત માહિતી કે તેને પ્રાપ્ત કરવાના સુયોગ્ય વિધિ સમજવો.
પરંતુ પ્રયત્ન કરનારને આમ્નાય પણ મળી રહે છે. મૂળ વાત એ છે કે તે સંબંધમાં પૂરતા પ્રયત્ન કરવા જોઈ એ.