Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૫૪
ઉવસગ્ગહરે તેત્ર યંત્ર તથા ભક્તામરરત્ર વગેરેને લગતા ઘણું યંત્ર ચતુકણાત્મક છે.
શુકને યંત્ર પંચકોણાત્મક હોય છે અને નરનારીમારણમંત્ર પણ પાંચ પાંખડીને અમારા જેવામાં આવ્યો છે.
ગુરુ અને શનિના યંત્રે પકૅત્મક હોય છે, શ્રી પદ્માવતીજીને યંત્ર પણ પકૅણાત્મક હોય છે અને દિવ્ય સ્તંભનાદિ બીજા પણ કેટલાક યંત્રે પકૅણાત્મક હોય છે.
બુધને યંત્ર અષ્ટકોણાત્મક હોય છે અને કેટલાક જવરનાશકયંત્ર પણ અષ્ટકોણાત્મક હોય છે.
સૂર્ય યંત્ર દ્વાદશકોણાત્મક હોય છે અને ચંદ્રને યંત્ર પડશણાત્મક હોય છે.
જૈન સંપ્રદાયમાં શ્રીસિદ્ધચક્રજી તથા શ્રી ઋષિમંડલને યંત્ર વર્તુળમાં છે અને અન્ય સંપ્રદાયમાં પણ અનેક યંત્ર વલમાં હોય છે. દશમહાવિદ્યાના દરેક યંત્રમાં ત્રિકોણની ઉપર વર્તુલ આકૃતિ હોય છે. તાંત્રિક કાર્યોમાં મહામહન આદિ અનેક યંત્રો પણ વર્તાલમાં જ નિર્માણ થાય છે. કેધશમન માટે ઉપયોગમાં લેવાતે જામદગ્ય યંત્ર મધ્ય તથા ચાર દિશાઓ મળી પાંચ સ્થાનમાં પાંચ વર્તુલો ધરાવે છે.
વશીકરણ વગેરેને લગતા કેટલાક યંત્રે અંડાકૃતિ પણ જેવામાં આવે છે.
જેને આજે કુદરતી આકૃતિ (Natural form) કહેવામાં આવે છે, તે પણ યંત્રમાં સારી રીતે જોઈ શકાય છે.