Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ઉવસગ્ગહરં સ્તોત્રની ઉત્પત્તિ
૮૫ પર્યુષણ પર્વમાં શ્રી ભદ્રબાહુ સ્વામીકૃત જે કલ્પસૂત્ર વંચાય છે, તે તેમણે રચેલા દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનને વિસ્તાર છે.
પ્રાચીન કાળમાં ઐતિહાસિક સાધનો ઓછાં હતાં, એટલે આ વસ્તુ તરફ ધ્યાન ખેંચાયું ન હોય એ બનવા જોગ છે અને બીજા ભદ્રબાહુની વાત પ્રથમ ભદ્રબાહુ સાથે જોડાઈ ગઈ હોય એ સંભવિતતાને પણ નકારી કાઢવા જેવી નથી. પ્રબંધકાએ તથા આ સ્તંત્ર પરના ટીકાકારોએ આ તેત્રની ઉત્પત્તિ સંબંધમાં લગભગ ઉપર જણાવી તેવી જ હકીકત પરંપરાગત માન્યતાને આધારે કહેલી છે, પરંતુ તે પણ સાવ દોષરહિત નથી.
દાખલા તરીકે કેટલાક પ્રબંધકારોએ વરાહમિહિરને પ્રતિષ્ઠાનપુરને ન માનતાં પાટલિપુત્રને માન્ય છે અને તેને સંબંધ નંદ રાજા સાથે જોડ્યો છે, તો કેટલાક પ્રબંધકારે એ તે પ્રતિષ્ઠાનપુરના રાજા જિતશત્રુને પુરોહિત થયો, એમ જણાવ્યું છે.
ખરી હકીક્ત તે એ છે કે જે કૃતિઓ પરંપરાએ તેમની પાસે આવી હતી, તેને તેમણે અક્ષરાંકિત કરેલી છે અને એ શ્રુતિઓ ભિન્ન ભિન્ન પ્રકારની હોવાથી તેમનાં વર્ણનમાં આ પ્રકારની ભિન્નતાઓ દેખાય છે.
ઉપાસકની દૃષ્ટિએ તે આ કૃતિ પ્રથમ ભદ્રબાહુની હેય કે બીજા ભદ્રબાહુની હોય એ બહુ મહત્વની વાત નથી. તે એક શ્રુતસ્થવિર મંત્રવાદી મહાત્માની કૃતિ છે અને મહા પ્રાભાવિક છે, એ હકીકત જ મહત્વની છે. તે અંગે વધારે વિવાદ કરવાથી શું?