Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
મંત્રશક્તિનો સદુપયોગ
મંત્રશક્તિ દ્વારા જે પ્રકારનાં પરિણમે લાવી શકાય છે, તેને મુખ્યત્વે છે વિભાગો પાડવામાં આવ્યા છે અને તેને સામાન્ય રીતે “તાંત્રિક કમ? કહેવામાં આવે છે.
મંત્રશક્તિ દ્વારા ગ્રહની દુષ્ટ અસર નાબુદ થાય, વિવિધ પ્રકારના રોગો તથા વ્યાધિઓનું નિવારણ થાય, મનુષ્ય, તિર્યંચ કે દેવદ્રારા થએલા ઉપસર્ગો દૂર થાય, ઘાતક પ્રોગે ખુલો છેદ થાય, તેમજ ચિત્તમાં તથા વાતાવરણમાં શાંતિ પ્રસરે, તેને શાંતિ કર્મ કહેવામાં આવે છે. જેનાથી આપણું મનને તેષ–સંતોષ થાય, તેમજ ઇચ્છિત કાય માં વિજય મળે, તેને તુષ્ટિકર્મ કહેવામાં આવે છે અને જેનાથી ધન, ધાન્ય, સંપત્તિ, ઐશ્વર્ય તથા કીર્તિમાં વધારે થાય, તેને પુષ્ટિકર્મ કહેવામાં આવે છે. પરંતુ આ બધાને સામાન્ય રીતે શાંતિક-પૌષ્ટિક કર્મ તરીકે ઉલ્લેખ થાય છે અને વધારે સંક્ષેપ કરવો હોય તો માત્ર શાંતિકર્મ કહેવાય છે.
મંત્રશક્તિનો આ શાંતિ–તુષ્ટિ–પુષ્ટિ કર્મ માટે ઉપયોગ કરવો સુવિહિત છે, એટલે કે તે એક પ્રકારને સદુપયેગ છે અને તે અંગે કોઈ વિવાદ નથી. જૈન શ્રમણે સામાન્ય રીતે આવા શાંતિ–તુષ્ટિ-પુષ્ટિકર્મમાં જ વિશેષ રસ લે છે અને તેનાં પરિણામ ધર્મશ્રદ્ધાની અભિવૃદ્ધિમાં તથા ધર્મની સુંદર પ્રભાવનામાં આવે છે. - રાજસ્થાનના એક જૈન ગૃહસ્થ ઘણુ ધનવાન હતા અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં આગેવાનભર્યો ભાગ લેતા હતા. તેમના પૂર્વજોની સ્થિતિ પણ આવી જ હતી, પરંતુ કર્મ