Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
જૈન ધર્મમાં મંત્રાપાસનાને મહત્ત્વનું સ્થાન
૭
(૭) મંત્રસિદ્-મત્રાપાસના વડે સિદ્ધિ મેળવનાર. (૮) કવિ-કાવ્યકલામાં અપૂર્વ ચાતુર્ય દર્શાવનાર, એ આઠ પ્રકારના પ્રભાવક (જિનશાસનમાં ) કહેલા છે. જૈન શ્રમણેા નિર્વાણુસાધક ચેોગની સાધના કરવા માટે જ્ઞાન, દર્શીન અને ચારિત્રની આરાધના ઉપરાંત તપને પણ આશ્રય લેતા. આ તપ તેના બાહ્ય સ્વરૂપ પૂરતું મર્યાદિત ન હતુ, પણ તેના અભ્યંતર સ્વરૂપને ય પૂરેપૂરું સ્પતુ હતુ અને તેમાં મંત્રજપને પણ સમાવેશ થતા હતા.
(૧) અનશન, (૨) ઊનારિકા, (૩) વૃત્તિસક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાયકલેશ અને (૬) સંલીનતા, એ બાહ્ય તપના છ પ્રકારો છે અને (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ત્વ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) ઉત્સર્ગ એ અભ્યતર તપના છ પ્રકારો છે.
અહીં સ્વાધ્યાય શબ્દથી મેાક્ષશાસ્ત્રનું અધ્યયન તથા મંત્રજપ એ અને વસ્તુ અભિપ્રેત છે. પાક્ષિક પ્રતિક્રમણમાં તપ અંગે નિવેદન કરવામાં આવે છે, ત્યાં ૧ ઉપવાસ, ૨
ગૌરી, (૧૦) ગાંધારી, (૧૧) સર્વાંસ-મહાજવાલા, (૧૨) માનવી, (૧૩) વૈરાયા, (૧૪) અચ્છુપ્તા, (૧૫) માનસી અને (૧૬) મહામાનસી એ સેાળ વિદ્યાદેવીઓની ભારે પ્રતિષ્ઠા છે. પ્રાચીન સમયમાં જૈન શ્રમણા તેને સિદ્ધ કરતા અને તેના દ્વારા અનેક પ્રકારનાં અસાધારણ કાર્યાં કરવાને શક્તિમાન થતા. આજે એ મહાવિદ્યાએની સાધના જોવામાં આવતી નથી અને તેના પેા પણ નજરે પડતા નથી ! !