________________
દ્રૌપદીની સૂચનાથી ભીમને અશ્વત્થામાના વધ અર્થે જતે જોઈને કૃષ્ણ મૌન તોડયું. 1. “આ ભીમ તને ભાઈઓમાં સૌથી વધુ વહાલે છે એ હું જાણું છું,” યુધિષ્ઠિરને તે કહે છે: “છતાં અત્યારે તું એને એકલે જવા દે છે. તને ખબર તે છે કે અશ્વત્થામા અત્યારે કેટલો ઉશ્કેરાયેલું છે અને કે અવિવેકી અને વિકૃત બની ગયો છે. “બહ્મશિરસૂ' નામનું દિવ્યાસ્ત્ર એ એના પિતા કોણ કનેથી શીખે છે અને ભીમને જોતાંવેંત એ તેને ઉપયોગ કરશે, અને આપણા ઉપર એક નવી આપત્તિ તૂટી પડશે.”
આટલું કહીને શ્રીકૃષ્ણ પિતાના રથમાં, – જે સજ્જ જ હતો – બેઠો; યુધિષ્ઠિર અને અર્જુન પણ તેમના કહેવાને મર્મ પામી જઈને તે જ રથમાં તેમની બન્ને બાજુએ ગોઠવાઈ ગયા. અને થોડા જ વખતમાં તેમણે ભીમસેનને પકડી પાડ્યો. અને અશ્વત્થામાના બ્રહ્મશિશ્ન-દિવ્યાત્મની તેમ જ એ અસ્ત્ર કરતાં પણ વધારે ભયાનક સાબિત થઈ શકે એવી એની માનસિક વિકૃતિની વાત પણ કરી; પણ ભીમ હવે પાછા વળે ! એ તે એ ત્રણેયનાં વચનોને સાંભળ્યાં–ને સાંભળ્યા કરીને અશ્વત્થામાની પાછળ જ ધો. અશ્વત્થામા ભાગીરથી નદીના તટ પર ક્યાંક સંતાયો છે એમ ભીમે સાંભળ્યું હતું અને જોતજોતામાં તે ભાગીરથીતીરે, તે જ સ્થાને આવી પહોંચ્યો.
અને અલબત્ત, કૃષ્ણ અને તેના બે ભાઈઓ પણ તેની સાથે જ હતા. ધૂળથી રજટાયેલ અને કરકર્મા અશ્વત્થામાને ત્યાં તેમણે વ્યાસાદિ ઋષિવરેની સાથે બેઠેલે જે.
અને જેવો જોયે તે જ ધનુષ-બાણ લઈને “તિષ્ઠ તિg – ઊભો રહે, ઊભો રહે” એમ બોલતા બોલતે ભીમ તેની સામે ધર્યો.
અશ્વત્થામા એકાદ પળ તે આ એચિંતા પણ અપેક્ષિત આક્રમણથી ગભરાઈ ગયો. પણ પછી તરત જ એણે સાવધાન થઈને, પિતા કોણે
મનુષ્યોની સામે કદી પણ ન વાપરવું” એવી ખાસ ચેતવણી સાથે આપેલું બ્રહ્મશિરસ્ત્ર શસ્ત્ર પાંડવનાશનો સંકલ્પ કરીને પ્રેર્યું અને લેકને બાળનાર પ્રલયાગ્નિ સમો અગ્નિ ત્યાં આગળ પ્રગટ થયે. પણ કૃષ્ણ આના માટે તૈયાર જ હતા. અર્જુનને તેણે અશ્વત્થામાના આ કવિનાશક અસ્ત્રના પ્રતિકાર સારુ દ્રોણે તેને શીખવેલ દિવ્યાસ્ત્રનો પ્રયોગ કરવાનું કહ્યું. અર્જુન ત્યાં જ રથમાંથી ઊતરી ગયે; અને આચાર્યપુત્રનું અને પિતાના ભાઈઓનું –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com