________________
૧૧૯
નાછૂટકે જ; અને યુદ્ધ છેડ્યા પછી પણ શક્ય તેટલી ઓછી હિંસાએ એને આટોપી લેવું !”
આ અશ્વમેધ અને પાંડવોએ ચદેક વરસ પહેલાં કરેલ રાજસૂય એ બને યજ્ઞોને અંતિમ હેતુ તે ચક્રવતપદની પ્રાપ્તિ અથવા કહે કે અનેક નાનાં નાનાં રાજ્યનું એક મહારાષ્ટ્રમાં જોડાણ છે. પણ મહાભારતના અભ્યાસ પરથી લાગે છે કે એ પ્રકારનું ચક્રવતીત્વ લાંબો સમય ટકતું નથી. તલવારને જેરે થયેલ એકીકરણ તલવાર અદશ્ય થતાં તૂટી પડે છે. રાજસૂય વખતે ખંડણુઓ લઈ લઈને આવેલ રાજવીઓમાંથી ઘણાખરા મહાભારતના યુદ્ધમાં પાંડવોની સામેની છાવણીમાં હતા. એ પછી, યુદ્ધમાં જિતાયલા અથવા હણાયેલા રાજવીઓના વંશવારસો, ઘણાખરા, પાંડવોના આ અશ્વમેધ વખતે, પાંડવો ચક્રવતી બને તેની વિરુદ્ધમાં પડે છે, જેમની સાથે અર્જુનને નાછૂટકે યુદ્ધ કરવું પડે છે.
હકીકતમાં હિંસક બળનું પ્રત્યક્ષ દબાણ હેય ત્યાં લગી જ નબળા રાજાઓ સબળા રાજાઓની આણ સ્વીકારતા, અને એકવાર ચક્રવતી તરીકે સ્વીકારાયેલ રાજાના બળમાં સહેજ પણ ઓટ આવે, કે તરત જ તેઓ માથું ઊંચકતા. એક સ્વતંત્ર સાર્વભૌમ સુસંગઠિત ભારતરાષ્ટ્રની કલ્પનાએ આકાર જ નહોતે લીધે જાણે!
૨૭૬. જૂના દુશમને
અર્જુનને સૌથી પહેલે સામને ત્રિગને કર પ. પાંડના સૌથી વધુ કટ્ટર દુશ્મને-દુર્યોધનને બાદ કરતાં–તેઓ હતા. કુરુક્ષેત્રના યુદ્ધમાં તેમને ઠીક ઠીક કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અને છતાં, અથવા કહે કે તેથી જ, એ પરાજયનું વેર વાળવા માટે જ, અશ્વમેધના અશ્વને તેમણે આંતર્યો અને અર્જુનને નાછૂટકે યુદ્ધ કરવું પડ્યું. '
.
છે. ત્રિગર્તાને રાજ તે વખતે સૂર્યવર્મા હતા. તે અને તેને નાને ભાઈ કેતુવર્મા ખૂબ ઝનૂનથી અર્જુન ઉપર તૂટી પડ્યા. થોડીકવારમાં કેતુવર્મા સરા, તે પછી તેને ભાઈ ધૃતવર્મા આગળ આવ્યું. આ ધૃતવર્માનું પરાક્રમ જોઈને અર્જુન એ તે ખુશ થઈ ગયે કે છેડીકવાર તે તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com