________________
૧૩૬
( પત્ની તેને સમજાવે છેઃ “આપણે બે નથી, એક છીએ. સુખદુઃખનાં જ માત્ર નહિ, પાપપુણ્યનાં પણ ભાગીદાર છીએ. આ કંઈ હું તમને તમારા પિતાના અંગત ઉપયોગ માટે નથી આપતીઃ આપણી સહિયારી ફરજ અદા કરવા માટે જ આપું છું, અને તે પણ તમે તમારે ભાગ આપી ચૂક્યા છે, તે પછી જ !”
પત્નીના આવા જાગૃત અને સાલસ સદાગ્રહને વશ થઈને પતિએ તેને પડિયો લઈને બહાર બેઠેલા અતિથિ સામે ધર્યો અને એ પણ એક જ તડાકે અતિથિના ઉદરમાં અદશ્ય થઈ ગયો !
અને છતાં અતિથિ હજુ ભૂખ્યાને ભૂખ્યો જ લાગતો હતો ! હવે શું કરવું ? પુત્ર પિતાની મથામણ સમજી ગયો.
પિતાના ભાગને પડિયો તેણે અતિથિને આપી દેવાને પિતાને આગ્રહ કર્યો.
અને એ આગ્રહની પાછળ પૂરેપૂરી સભાને સમજ છે, એવી ખાતરી થતાં પિતાએ એ પડિયે પણ પુત્રના હાથમાંથી લઈને અતિથિના હાથમાં મૂકી દીધો.
પણ અતિથિ તે સાક્ષાત સુધાની મૂર્તિ હતો કેણ જાણે કેટલાયે યુગને ભૂખ્ય હશે! પુત્રના ભાગને પડિયે ઉદરમાં ઠલવાઈ ગયા પછી પણ તેની સુધા હજુ એવી ને એવી જ અતૃપ્ત વરતાતી હતી. શું કરવું?
હવે પુત્રવધૂ આગળ આવી. સસરાને તેને પોતાને પડિયો લઈ જઈને અતિથિને આપવા કહ્યું,
સસરાએ તેને ઘણુંયે સમજાવી, પણ વહુએ દેખાડો કરવા માટે પડિયે ઓછે જ તેની સામે ધર્યો હતે, “મારું તે સર્વસ્વ મારા વડીલની સેવા અર્થે જ છે,” તે કરગરી, “જેમાં એમનું શ્રેય તેમાં જ મારું શ્રેય.”
અને ચોથે પડિયો પણ અતિથિના અતલ લાગતા ઉદરમાં ઠલવાઈ ગયે.
અને તેની સાથે જ અતિથિના ઉદરને સુધા-અગ્નિ પણ જાણે શાન્ત થઈ ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com