Book Title: Mahabharat Katha
Author(s): Karsandas Manek
Publisher: Nachikta Prakashan

View full book text
Previous | Next

Page 204
________________ ૧૯૬ “તેજીને ફક્ત આટલા ટારાની જ જરૂર હતી. અને અર્જુને ગાંડિવા તથા બને ભાથાને એ “લૌહિત્ય અર્ણવ”માં પધરાવી દીધાં. અને અગ્નિ અંતર્ધાન થઈ ગય. અને પાંડવો પછી લવણબ્ધિના ઉત્તર કિનારેથી દક્ષિણ તરફ, અને ત્યાંથી પછી પશ્ચિમ તરફ ચાલ્યા. માર્ગમાં તેમણે સાકરેન વરિષ્ણુતા દ્વારકાનાં દર્શન પણ કરી લીધાં. ત્યાંથી ફરી તેઓ ઉત્તર દિશા તરફ વળ્યાં. ભારતની એક છેલ્લી પ્રદક્ષિણા કરી લેવાની તેમની નેમ પૂરી થઈ. ૩૦૬. પતનનાં કારણે ધરતીની વનશ્રી નિહાળતાં નિહાળતાં અંતે તેઓ–પહેલેથી જે તેમનું અંતિમ લક્ષ્ય હતું ત્યાં હિમાચલ પાસે આવી પહોંચ્યાં. ત્યાં પહેલાં તો તેમણે વાલુકાવ”—રતીને સાગર જોયો. તે પાર કરતાંવેંત શિખરીઓમાં શ્રેષ્ઠ એવા મેરુ પર્વતનાં દર્શન થયાં. મેરુ પર્વત પર તેઓ સાતેય ઝપાટાભેર ચઢી રહ્યાં હતાં, ત્યાં યાજ્ઞસેની, દ્રૌપદી, “ભ્રષ્ટગ” થઈ, તેણે સમતુલન ગુમાવ્યું, તે લથડી પડી (collapsed). આમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. ચાળીસેક વર્ષો પહેલાં, દ્રૌપદી હિમાચલ પર ચઢી હતી, ત્યારે પણ યુધિષ્ઠિરે કહેલું કે યાજ્ઞસેનીને માટે હિમાચલ ચઢવાને પરિશ્રમ શક્ય જ નથી, માટે તેને તળેટીમાં જ રહેવા દઈએ ! પણ ભીમે તેને, તે જ્યારે થાકી જાય ત્યારે ઊંચકી લેવાની તૈયારી બતાવી હતી, અને વળી ઘટોત્કચને પણ ખાસ આ સેવા માટે જ તેડાવ્યો હતો. આવી દ્રૌપદી આ ઉંમરે અને સમગ્ર ભારતના પગપાળા પ્રવાસ પછી મેરુ પર્વત પર ચઢવા જતાં શરીરની સમતુલા ગુમાવી બેસે અને એકાએક ફસડાઈ પડે એમાં નવાઈ શી ? છતાં ભીમને એ વાતની નવાઈ લાગે છે અને તે યુધિષ્ઠિરને આ વિષે પ્રશ્ન કરે છેઃ આ રાજપુત્રીએ અધર્મનું આચરણ કદી પણ કર્યું નથી; છતાં એ મેરુશિખર પર પહોંચતા પહેલાં જ ઢળી પડી એનું કારણ શું ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238