________________
19
',
નિમગ્ન હતા. એ બન્નેએ યુધિષ્ઠિરને જોતાંવેંત ઊભા થઈને પૂર્વની પેઠે જ તેમનું સન્માન કર્યુ... એક ખીજા સ્થળે યુધિષ્ઠિરે દ્વાદશ આદિત્યાના સંગાથમાં કને દીઠા. અન્યત્ર મરુદ્ગણના સાથમાં, ભીમને પણ તેમણે જોયા – એ જ શરીરમાં તે હતા, એટલે તેને ઓળખવામાં કશી જ મુશ્કેલી નહેાતી. અશ્વિનીકુમારની સાથે નકુલ અને સહદેવને પણ તેણે બિરાજમાન દીઠા.
અને છેલ્લે પાંચાલીને પણ તેણે જોઈ.....
• સૂર્યસમા પેાતાના તેજ વડે આખા સ્વને ભરી દેતી તે મહોત્વમાહિની ત્યાં વિરાજમાન હતી.’
પાંચ પતિને એકી સાથે વરેલી મહાતેજસ્વી એ નારાયણી વિષેનું કુતૂહલ તેના જમાનામાં – અને આજે પણ – સૌને છે. 'એ કુતૂહલને થાડુ ઘણુ શમાવવાના પ્રયત્ન વ્યાસજીએ અહીં ફરી કર્યાં છે. ઈન્દ્રને મુખે યુધિષ્ઠિરને તે સંભળાવે
:
श्रीरेषा द्रौपदीरूपा त्वदर्थे मानुषं गता । अयोनिजा लोककान्ता पुण्यगंधा युधिष्ठिर ||
“તારે ખાતર આ શ્રી દ્રૌપદીનું રૂપ ધારણ કરીને મનુષ્યલેાકમાં અવતરેલી. સામાન્ય નારીની પેઠે એ યેકનિજ નહોતી. સમગ્ર વિશ્વને સૌ મય અને સમૃદ્ધ બનાવે એવી એ હતી. એ જ્યાં હાય ત્યાં વાયુમંડળ સદા પુણ્યથી સુવાસિત રહેતું. તમારા આનÈપભાગને અર્થે જ ખાસ શંકરે તેને—એ શ્રી। દ્રૌપદીરૂપે દ્રુપદના કુલમાં ઉતારી હતી.’” અને પછી નાટકના છેલ્લા દશ્યની જેમ બધાં જ પાત્રોને—અલબત્ત, પાતપેાતાનાં કર્માએ કરીને પેાતપાતાને પ્રાપ્ત થયેલ સ્થાનમાં પણુ–પરલેાકના પથ પર ભેગાં કરી દે છે : ગાન્ધરાજ ધૃતરાષ્ટ્ર, આદિત્યપુત્ર કર્ણ, વૃષ્ણી, અંધક અને ભાજકુલના સાત્યકિ, આદિ યાદવવીરા, સામ–સમક્ષ અપરાજિત અભિમન્યુ, કુન્તી અને માર્ગ સાથે પાંડુ, વસુની સાથે ભીષ્મ, ગુરુ બૃહસ્પતિની પાસે બિરાજમાન ક્રાણુ અને અન્ય અનેક મહીપાલા અને યેદ્દાએ કાઈ ગન્ધવે{ સાથે, કાઈ યક્ષા સાથે, કાઈ ગુલકા સાથે,
.....
પુષ્ય-વા-વ્રુદ્ધિ-ધર્મમિ:
જેમને સ્વર્ગમાં જુદું જુદું સ્થાન પ્રાપ્ત થયું છે, તેવા સૌ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com