Book Title: Mahabharat Katha
Author(s): Karsandas Manek
Publisher: Nachikta Prakashan

View full book text
Previous | Next

Page 216
________________ ૨૦૮ “ચાલે ચાલે,–મહારાજ યુધિષ્ઠિર, (નરકને) આટલે અનુભવ આપના માટે પૂરતું છે. આપનાં પુણ્યકર્મોએ કરીને આપ અક્ષયલોકને તેમ જ તેની સાથે સંકળાયેલી બધી જ સિદ્ધિઓને પામ્યા છે. આપને આટલો અનુભવ કરાવ્યું તેથી રખે ક્રોધ કરતા. નરકનું દર્શન તે બધા જ રાજવીઓને એકવાર કરવું પડે છે. પ્રાણીમાત્ર પોતપોતાના જીવન દરમિયાન શુભ તેમ જ અશુભ બન્ને પ્રકારનાં કર્મો કરે છે, અને તે બન્ને પ્રકારનાં કર્મોના ફળરૂપે – સ્વર્ગ તેમ જ નરક બંનેને અનુભવ તેમને કરવો પડે છે. શુભ કર્મના ફળરૂપે પ્રાપ્ત થયેલું સ્વર્ગ જેઓ પહેલાં ભોગવે છે, તેઓને નરક પછી ભોગવવાનું રહે છે, પણ અશુભને પરિપાક સમું નરક જે પહેલાં ભોગવી લે છે, તેને માટે સ્વર્ગ તે પછી ભોગવવાનું રહે છે. જેણે અત્યંત પાપકર્મો કર્યા હોય છે અને જેના જીવનના ચોપડામાં પુણ્યની તે ફક્ત એક આછીપાતળી કણી જ જમા હોય છે તેઓ પહેલાં સ્વર્ગ મણી લે છે. (દુર્યોધનના સ્વર્ગમાં હોવાને સંતોષકારક ખુલાસો યુધિષ્ઠિરને આ ઉપરથી મળી ગયો હશે.) હવે આપે અશુભનું આચરણ ફક્ત એક જ વખત કર્યું છે,–અશ્વત્થામા અંગે દ્રોણને છેતરીને, એના ફળરૂપે એક મુહૂર્ત” જેટલો સમય જ નરકને અનુભવ આપને કરવાનો હતો, તે અમે આપને કરાવી દીધો. એવી જ રીતે આપના ભાઈઓને તેમ જ દ્રૌપદીને તેમ જ અન્ય સ્વજનેને–જેમને પુણ્યરાશિ પાપરાશિ કરતાં ઘણો જ મોટો છે, તેમને સૌને નરકને અનુભવ અમે પહેલાં જ કરાવી દીધું છે અને હવે એ સૌ સ્વર્ગને આસ્વાદ માણી રહ્યા છે, એ આપ નજરોનજર નિહાળશે. જુઓ આ કર્ણ, આ આપના બીજા ભાઈઓ, આ આપનાં અન્ય સ્વજને -સૌ પોતપોતાને ઉચિત સ્થાને બિરાજે છે તે માનસઃ ક્વર:-શેક અને સંતાપને તજી દે હવે. અને મારી સાથે જ આ સ્વર્ગને આનંદ માણે. તપ, દાન અને સત્કર્મોનું, રાજસૂયનું તેમ જ અશ્વમેધનું પુણ્યફળ હવે આપ નિઃસંકોચપણે ભોગવો. હરિશ્ચન્દ્ર, માન્ધાતા, ભગીરથ, ભરત વગેરે રાજવીઓ જે લેકમાં વિહરે છે તે જ લોકમાં હવે આપ નિવાસ કરશે. જુઓ આ પવિત્ર દેવનદી....આકાશગંગા, તેમાં સ્નાન કરતાંવેંત આપને “માનુષ–ભાવ નષ્ટ થશે. આપ પતિ–રોવર, નિરીયા અને મુવૈર બનશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238