________________
૨૦૬
66
ઊઠે છે, અને એક દેવદૂતને આજ્ઞા આપે છે, આગળ છે, ત્યાં આમને લઈ જાઓ.’’
આમના સ્વજના જ્યાં
અને એ દેવદૂતની સાથે યુધિષ્ઠિર એક નવા પ્રવાસે ઊપડે છે. પાપકર્મો કરનારાએ વડે સેવાયેલા એ દુર્ગમ માનું વર્ણન કમકમાટી ઉપજાવે એવુ` છેઃ
“ અંધકારથી ઘેરાયલા, ધાર, કેશરૂપી શેવાળથી છવાયેલા, પાપાત્માએની દુર્ગંધથી ભરેલા, માંસ અને રુધિરના કીચડવાળા, તીણા દાંતવાળા રી છાવાળા, માખીએ અને મચ્છરેાથી ખદબદતા, ચારેબાજુ અહીં ત્યહી ‘કુણુપા’ વડે વી’ટળાયેલા, હાડકાં અને કેશ જ્યાં વેરાયલાં પડવાં છે તેવા,કૃમિ અને કીટાથી ખદબદતા, ફરતી અગ્નિની ઝાળ વડે વીટાયેલા, લાખ`ડની ચાંચાવાળાં કાગડા અને ગીધડાંઓથી ભરપૂર, વિધ્ય પર્વત જેટલાં ઊંચાં અને સેાય જેવાં મુખાવાળાં પ્રેતા વડે વસાયલા, મેદ અને રુધિરથી ખરડાયલા, કપાયલાં બાહુએ, ઉરુએ અને હાથ, ઉદરે અને પગ જ્યાં ત્યાં વેરાયલાં પડયાં છે તેવા,’–
આવા માર્ગે થઈને દેવદૂતની પાછળ પાછળ યુધિષ્ઠિર ચાલ્યા જાય છે. ચાલતાં ચાલતાં તેને અનેક વિચાર આવે છે. દેવદૂતને તે પૂછે છેઃ
“આવા રસ્તા હજુ કેટલા કાપવાના છે? મારા ભાઈએ કલ્યાં છે ? આ કયા દેશ છે?’
** બસ, અહી સુધી જ આપને આવવાનું હતું.'' દેવદૂત જવાબ આપે છે, આપ જ્યારે આ દૃશ્ય જોઈને થાકી જાએ, કટાળી જાઓ, ત્યારે આપને પાછા લઈ આવવા એવી મને દેવાની આજ્ઞા છે. ”
'
યુધિષ્ઠિર તેા એ રસ્તાની દુર્ગન્ધથી જ એટલા બધા અકળાઈ ગયા હતા કે એણે પાછા ફરવાના નિશ્ચય કર્યો; પણ ત્યાં તે તેણે ચામેરથી અવાજો સાંભળ્યા : હું ધર્મજ્ઞ, હું યુવિષ્ઠિર, હે રા,િ અમારા પર અનુગ્રહ કરે અને અહીં જ ઘેાડીક વાર ઊભા રહેા. આપના સાંનિધ્યથી
આ ભયાનક સ્થળે પણ અમને થાડીક શાતા વળે છે. આપના અંગમાંથી જે પુણ્ય અને શીતલ સુગંધ આવે છે, તેને લઈને અહીંની માથું ફાડી નાખે એવી દુર્ગંધ સહેજસાજ સુસહ્ય બને છે. આપ અહીંથી જતા નહિ! અમારે ખાતર, કૃપા કરીને અહીં જ રહેા !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com