________________
૩૧૧. ભારત–સાવિત્રી
વાચકાને યાદ હશે કે પોતે રચેલ મહાભારતને વ્યાસજીએ ફતિહાસ તરીકે નહિ પણ હ્રાવ્ય તરીકે એળખાવેલ છે, અને બ્રહ્માએ પણ તેમના એ ાન્ય શબ્દ ઉપર સંમતિની મહેાર મારેલી છે. આના અર્થ એવા જરાય નથી કે મહાભારત જે ઘટનાઓનું આલેખન છે, તે બધી કલ્પિત છે. ફક્ત એટલા જ કે ઇતિહાસ તેમ જ પરાપૂર્વથી ચાલતી આવેલી કિંવદન્તીએ-બધાંને પેાતાના Raw Material બનાવીને-કથાવસ્તુ કલ્પીને–વ્યાસજીએ તેની આસપાસ પોતાના બૃહત્ કાવ્યનુ નિર્માણ કર્યું" છે, જેનો પ્રધાન ઉદ્દેશ માનવમનની લીલાનું ગાન હૈં, અને આનુષંગિક ઉદ્દેશ યુદ્ધની અનિષ્ટતાનું દર્શન
કરાવવાના છે.
-
-
વ્યાસજીએ એક કવિની – નાટચકારની – તટસ્થ બુદ્ધિથી પેાતાનાં બધાં જ પાત્રોને જોયાં છે, અને સૌને પોતપાતાની પ્રકૃતિ પ્રમાણે વવા દીધાં છે, અને એમ કરતાં જે ફળ આવે તે ફળને તેમની તથા આપણી સમક્ષ રજૂ કર્યુ છે.
એટલે નાટચાત્મક આ કાવ્યની પૂર્ણાહુતિ વેળાએ પેાતાના યુગની પ્રણાલિકા પ્રમાણે, પોતાની કૃતિમાં જુદી જુદી ભૂમિકા ભજવનાર પાત્રો મૂળ કાણુ હતાં તે પણ આપણને તેમણે કહ્યું છે. ખીજા શબ્દોમાં કહીએ તા પ્રત્યેક પાત્રની સામે આદર્શ રૂપે કાણું હતું, તેના નિર્દેશ કર્યા છે. જીવનનાટકમાં પોતપાતાની ભૂમિકા ભજવીને સૌ પાછા પેાતાના જે મૂળ સ્વરૂપ ઉપર આવી ગયા, તે મૂળ સ્વરૂપ કયું હતું તેના નિર્દેશ કર્યો છે.
આ રીતે ભીષ્મની ભૂમિકા વસુએ ભજવી હતી, એટલે એ ભૂમિકા પૂરી થતાં ભીષ્મ વસુરૂપ બની રહ્યા. એવી જ રીતે, દ્રોણુ બૃહસ્પતિરૂપ, કૃતવર્મા મરુતરૂપ, પ્રદ્યુમ્ન સનત્કુમારરૂપ બની રહ્યા. ધૃતરાષ્ટ્ર ગાંધારી સાથે કુબેરના લાકમાં જઈને રહ્યા. કુન્તી અને માદ્રી સાથે પાંડુને ઈંદ્રના ભવનમાં સ્થાન મળ્યું. વિરાટ, ક્રુપદ, ધૃષ્ટકેતુ, નિશ, અક્રૂર, સામ્બ, ભાનુ, કમ્પ, વિદુરથ, ઉત્તર, શંખ વગેરે ‘વિશ્વેદેવાના’ સ્થાનમાં ગયા. સેામના નાના પુત્ર જેણે અભિમન્યુની ભૂમિકા ભજવી હતી, તે ર્મને અંતે (નાટયકને અંતે ?) સેામમાં પ્રવિષ્ટ થયા. કવિમાં સમાઈ ગયા. શનિ દ્વાપરમાં, ધૃષ્ટદ્યુમ્ન અગ્નિમાં, ધૃતરાષ્ટ્રના પુત્રો-જેએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com