Book Title: Mahabharat Katha
Author(s): Karsandas Manek
Publisher: Nachikta Prakashan

View full book text
Previous | Next

Page 233
________________ 'પરમાત્માની અભિવ્યક્તિ આપણું શરીર એ ઈશ્વરનું મંદિર અને ધર્મનું સાધન છે. આધ્યાત્મિક સ્વાતંત્ર્ય અને ભૌતિક જીવનમાં પરસ્પર વિરોધ નથી. ભૌતિક જીવન પણ જે વિવેક–વૈરાગ્યપૂર્વક જિવાય તે એ આધ્યાત્મિક સ્વાતંત્ર્ય ઉત્તરોત્તર વિશેષ અનુભવ કરાવનાર થાય છે. પ્રાચીન તત્વદર્શીઓએ બ્રહ્માંડની રચના, તેનું સંચાલન કરનાર પ્રકૃતિ, તેનું આધારભૂત તત્વ બ્રહ્મ, સત્ય અથવા પરમાત્મા અને આ બધાંની સાથે પ્રત્યેક જીવના અસ્તિત્વન-જીવનતત્વની અભિન્ન રૂપે ઓતપ્રેતતા – આ ઉપર ખૂબ ભાર મૂક્યો છે, અર્થાત્ આ સિદ્ધાંતને સૌથી વધુ વ્યાપક અને અંતિમ ગણેલો છે. પરમાત્મામાં આત્માનું સંપૂર્ણ સમર્પણ–આત્મા અને પરમાત્માની એકતા અનેક દૃષ્ટાંત દ્વારા પ્રતિપાદિત કરી છે. જેમ કે અગ્નિમાંથી ચિનગારીઓ નીકળે છે અને તે ફરી અગ્નિમાં એકરૂપ થઈ જાય છે; જેમ સમુદ્રમાંથી વાદળો થાય છે તે નદીઓ બની ફરીથી સમુદ્રમાં મળી જાય છે. જ્યારે મનુષ્યોને સ્પષ્ટ જ્ઞાન થાય છે અને જ્યારે તેઓ બરાબર જાગ્રત બને છે, ત્યારે તેમને અનુભવ થાય છે કે તેઓ એક અનેરી રીતે (પતાની વિશિષ્ટ રીતે) આ જગતમાં પરમાત્માની અભિવ્યક્તિનું એક સાધન માત્ર છે, અર્થાત તેઓ પરમાત્માની ઈચ્છા અને ક્રિયાનાં વાહન છે. સર્વપલ્લી રાધાકૃષ્ણન વસંતરાય ગોરધનદાસ ઍન્ડ બ્રધર્સ ૭૫, મહંમદઅલી રોડ, મુંબઈ–૩ ના સૌજન્યથી ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238