________________
૨૦૯
દેવેન્દ્રના આ સંભાષણ પછી વિગ્રહવાન ધર્મ –શરીરધારી સાક્ષાત્ ધર્મદેવે યુધિષ્ઠિરને અભિન ંદન આપ્યાંઃ
..
આ તારી ત્રીજી કસોટી મેં કરી, વત્સ !” તેમણે કહ્યું, “ અને મેં જોયું કે ધર્મનિષ્ઠા, સત્ય, ક્ષમા અને દમ-તેમાંથી તને કશું જ ચળાવી શકે એમ નથી...પહેલી કસેટી દ્વૈતવનમાં પેલા જળાશય પાસે-જ્યારે તે તારા સગા માણ્યા ભાઈઓને બદલે માદ્રીપુત્રને સજીવન કરવાનું વરદાન મારી પાસે માગ્યું હતું. ખીજી મેરુશિખર ઉપર, જ્યારે શ્વાન વગર ઇન્દ્રના રથમાં પગ મૂકવાના તે ઈન્કાર કર્યા હતા; અને ત્રીજી આજે, જ્યારે મારા સાન્નિધ્યથી નરકવાસીઓને શાતા મળતી હાય તા હું એ નરકને જ સ્વર્ગ ગણીને ત્યાં રહીશ ” એવા નિશ્ચય તે દાખવ્યો.”
cc
આ પછી દેવનદી આકાશગંગામાં સ્નાન કરીને યુધિષ્ઠિરે પેાતાના પૃથ્વી ઉપરના શરીરતું–માનવશરીરનું વિસર્જન કર્યુ. અને નિવે^ર, નિઃસ ંતાપ બની, દેવા તેમ જ ધર્મ વડે વીંટળાઈને મહર્ષિ એની પ્રશ'સા સાંભળતા સાંભળતા તે એવા એક દિવ્ય લેાકમાં ગયા...
यत्र ते पुरुषव्याघ्राः शूरा विगतमन्यवः । पांडवा धार्तराष्ट्राश्च स्वानि स्थानानि भेजिरे |
જ્યાં મન્સુરહિત બનેલ પાંડવા તેમ જ ધાતુ રાષ્ટ્રા પોતપોતાનાં કર્મો અનુસાર પાતાને પ્રાપ્ત થયેલ સ્થાન પર બિરાજમાન હતા.
C
.
પોતપોતાને પોતપોતાનાં કર્માના પરિપાકરૂપે પ્રાપ્ત થયેલા શબ્દામાં મહાભારતે ઘણું જ કહી નાખ્યુ છે.
૩૧૦. પુનઃમિલન
દેવનદી — આકાશગંગામાં પેાતાના માનવશરીરનું વિસર્જન કરી દિવ્ય શરીર વડે દિવ્ય લાકમાં પ્રવેશ કરતાં પહેલુ દર્શન યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણનું કર્યું.”. “ બ્રહ્મશરીર ’તેમણે ધારણ કર્યું હતું; પણ એ શરીર અને પૃથ્વી પરનું તેમનું શરીર – તે બે વચ્ચે એટલું બધું સાદૃશ્ય હતુ' કે યુધિષ્ઠિરે તેમને તરત જ ઓળખી લીધા. અર્જુન તેમની સેવામાં
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com