________________
૨૦૭
“તમે છે કાણું?” અત્યંત વેદનાભર્યા આ ઉદ્ગારોથી સંતપ્ત બનીને યુધિષ્ઠિરે પૂછયું.
જવાબો એકી સાથે અનેક દિશાઓમાંથી એના કાને પડ્યા, “હું કરું છું, અર્જુન છું, હું ભીમ, હું ધૃષ્ટદ્યુમ્ન, હું દ્રૌપદી...” વગેરે.
યુધિષ્ઠિરના આશ્ચર્યને પાર ન રહ્યો. દેવો ઉપર અને જગત-તંત્રની દુર્વ્યવસ્થા ઉપર તેને અત્યંત રોષ ઉત્પન્ન થયોઃ “આ કઈ જાતને ન્યાય ?” તેને થયું, “જ્યાં દુર્યોધન સ્વર્ગમાં લહેર કરે અને આ મારાં સ્વજને– દુર્યોધનના પ્રમાણમાં તે ઘણાં જ પુણ્યશાળીએ,-નરકની યાતનાઓ ભોગવે !”
તમે જેમના દૂત છો તેમની પાસે જાઓ.” દેવદૂતને તેણે અત્યંત કડવાશથી કહ્યું : “હું તો અહીંજ રહીશ. મારા સાંનિધ્યથી આ મારાં સ્વજનોને શાંતિ મળે છે, એ જ મારા માટે મોટામાં મોટું સ્વર્ગ છે.”
અને યુધિષ્ઠિરની આજ્ઞા માથે ચઢાવીને દેવદૂત તેને ત્યાં જ મૂકીને ચાલ્યા ગયે.
૩૦૭, ત્રીજી કસોટી
નરકમાં સબડતાં સ્વજનના ચિત્કાર સાંભળતાં તેમ જ પિતાના સાંનિધ્યથી તેમની યાતનામાં થોડોક પણ ઘટાડો થઈ રહ્યો છે એવો સંતોષ અનુભવતાં યુધિષ્ઠિર ત્યાં આગળ એક મુહૂર્ત જેટલે સમય ઊભો રહ્યો હશે, ત્યાં વળી એક બીજું કૌતુક તેણે દીઠું. ઈન્દ્રની આગેવાની નીચે બધા જ દે તેની પાસે આવી પહોંચ્યા. ધર્મદેવ પણ સાથે જ હતા, જેમને અનુભવ તેને મેરુપર્વત ઉપર પેલા કૂતરાવાળા પ્રસંગે થયો હતો.
યુધિષ્ઠિરે જોયું કે દેવોના આગમન માત્રથી અંધકાર દૂર થઈ ગયે, તેમ જ નરક, તેમાં પડેલાં સ્વજને, તેમની યાતનાના ચિત્કારો-બધું જ એક ક્ષણમાં અદશ્ય થઈ ગયું, “પુણ્યગન્ધને વહન કરનાર, પવિત્ર અને શિતળ વાયુ સુખસ્પર્શ વાવા લાગ્યા”
પછી મરુતે, વસુઓ, અશ્વિને, સાથો, સુકા, આદિત્ય તેમ જ અન્ય અનેક દેવોની હાજરીમાં દેવરાજ ઈન્દ્ર તેના ક્રોધને શમાવવાનો પ્રયત્ન કરતા હોય એવી રીતે સંબોધ્યો :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com