________________
૨૧૨
હુધાના “રાક્ષસો” હતા તે બધા “શસ્ત્રપૂત” થઈને પિતાની બત્કટતાની સજા ભોગવીને પરલોકમાં પિતપોતાને ઉચિત સ્થાને પહોંચી ગયા.
વિદુર તેમ જ યુધિષ્ઠિર ધર્મરૂપ થઈ રહ્યા. બળદેવ રસાલમાં ચાલ્યા ગયા–અને ત્યાં બ્રહ્માના આદેશથી પૃથ્વીને ધારણ કરી રહેલ શેષ સાથે તદ્દરૂપ થઈને રહ્યા, અને દેવાધિદેવ નારાયણના અંશરૂપ વાસુદેવ શ્રી કૃષ્ણનારાયણમાં સમાઈ ગયા અને તેમની સેળ સહસ્ત્ર રાણુઓ સરસ્વતીમાં પિતાનાં મત્યે શરીરનું વિસર્જન કરીને અપ્સરાઓ રૂપે વાસુદેવની પરિચર્યામાં પ્રવૃત્ત થઈ રહી.
વૈશંપાયનને મુખેથી પોતાના પૂર્વજોની વ્યાસપણુત આ કથા સાંભળીને જનમેજય અત્યંત વિસ્મિત થે. વરની નિરર્થક્તાનું ભાન થતાં સર્પસત્ર તેણે બંધ કરાવ્યું. આસ્તીકને પણ એથી સંતોષ થયો. અને પછી દાન-દક્ષિણ વડે દિmત્તમોને પ્રસન્ન કરીને જનમેજય તક્ષશિલાથી પાછા પોતાની રાજધાની–હસ્તિનાપુરમાં આવ્યું. - સૂત પૌરાણિક કહે છે કે “હે મુનિઓ, આ રીતે વ્યાસજીની આજ્ઞાથી વૈશંપાયને જનમેજયના સર્પસત્રમાં કહી સંભળાવેલ ભારતની આખીયે કથા મેં તમને કહી..આ કથાના શ્રવણનું ફલ અપરંપાર છે. કૃષ્ણદ્વૈપાયનવ્યાસરચિત આ કથાને “વા વેઢ” પણ કહેવામાં આવે છે.
एतत् ते सर्वमाख्यातं वैशम्पायनकीर्तितम् । व्यासाज्ञया समाजातं सर्पसत्रे नृपस्य हि ॥
આ કાર્ણ વેદના શ્રવણથી દિવસ દરમ્યાન કરેલ પાપ સંધ્યા સમયે નષ્ટ થઈ જાય છે, અને રાત દરમ્યાન કરેલ પાપ પ્રાતઃ સંધ્યાનો ઉદય થતાંની સાથે નાશ પામે છે.”
अहना यदेनः कुरुते इन्द्रियैर्मनसापि वा । महाभारतमाख्याय पश्चात् संध्यां प्रमुच्यते ॥ यद् रात्रौ कुरुते पापं ब्राह्मणः स्त्रीगणैर्वृतः । महाभारतमाख्याय पूर्व संध्यां प्रमुच्यते ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com