Book Title: Mahabharat Katha
Author(s): Karsandas Manek
Publisher: Nachikta Prakashan

View full book text
Previous | Next

Page 208
________________ ૨૦૦ સ્થિતિમાં કૂતરાને તું ત્યાગ કરે એમાં કશું જ અજુગતું નથી. પરાપૂર્વથી ચાલતી આવેલી માન્યતાઓને તેા માન આપવુ જોઈએ ને !’’ ઃઃ ,, પણ સાચા જીવનસાથીના ત્યાગ કાઈ પણ સંજોગામાં ન કરવા એ પણ પરાપૂર્વથી ચાલતી આવેલી એક માન્યતા જ છે ને ? ” યુધિષ્ઠિરે દલીલ કરી, મારા પોતાના સુખને ખાતર મારા વફાદાર સેવાને હું રઝળતા મેલું એ કાઈ કાળે બનનાર નથી, દેવરાજ ! ” 66 tr પણ ભાઈ જેવા ભાઈઓના અને પાંચાલી જેવી પત્નીના ત્યાગ તે। તું કરી જ આવ્યા છે! હવે એક કૂતરાના ત્યાગ કરવામાં આટલા બધા સકાચ શાને અનુભવે છે?” ઈન્દ્રે સામી દલીલ કરી. ભાઈઓના અને પાંચાલીના મેં ત્યાગ કર્યો છે એમ કહેવું એ તદ્દન ગેરવાજખી છે, દેવ ! ” યુધિષ્ઠિરે જવાબ આપ્યા, “ તમે જાણે! જ છે, દેવ, કે મૃત્યુ પાસે મર્ત્ય માનવી લાચાર છે. મારા ભાઈએ અને પાંચાલી મૃત્યુ પામ્યાં, અને હું જાતે જ મર્ત્ય એટલે તેમને સજીવન ન કરી શકયો. આ સંજોગામાં મારે એમને—એમને નહિ, પણ એમનાં શાને તજવા સિવાય ખીજો કાઈ રસ્તા જ નહેાતા. એ જીવતાં હેાત, તા તેમના ત્યાગ હું કદી જ ન કરત ! તમે તે જાણા છે દેવ, કે ભક્તત્યાગ એ કેવડુ` માટુ પાપ છે! શરણાગતને રિબાવવેા, સ્ત્રીઓના વધ કરવા, બ્રાહ્મણનું ધન હરી લેવું અને મિત્રના દ્રોહ કરવા – એ ચારેય પાપ નિકૃષ્ટમાં નિકૃષ્ટ છે. ભક્તત્યાગ વફાદાર સેવકના ત્યાગ એ પાપ પણ એ જ કાર્ટિનુ છે. તે મારા હાથે કદી પણ થવાનુ નથી, દેવ’ (c હવે એક ચમત્કાર થાય છે. કૂતરાને જાણે વાચા આવે છે. એ કૂતરા કૂતરા નથી, પણ સાક્ષાત્ ધર્મ છે. જીવનભર યુધિષ્ઠરે ધર્મોનું અનુસરણ કર્યું છે. ‘ ધર્મો રક્ષતિ રક્ષિતઃ' એ સત્ય વ્યાસજીએ આ કૂતરાના રૂપક દ્વારા આપણી સમક્ષ રજૂ કર્યુ` છે. સ્વર્ગનાં સુખા અને દિવ્ય સિદ્ધિઓને ખાતર પણ પેાતાના ત્યાગ કરવાના ઈન્કાર કરતા યુધિષ્ઠિરને એ કૂતરા, ધર્મ, શુ' કહે છે, તે સાંભળેા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238