________________
૨૦૨
કેટલો કાતિલ કટાક્ષ છે આ એક પંક્તિમાં!– કદાચ અસંપ્રજ્ઞાત રૂપે-અ-ભાન રૂપે વ્યક્ત થયેલો!– માનવહૃદયની દયામાયાને સ્વર્ગમાં
સ્થાન નથી! સ્વર્ગનાં સુખો જોઈતા હોય તે માનવભાવનાઓને ત્યાગ કરે – માનવતા અને સ્વર્ગ એ બે પરસ્પરવિરોધી વસ્તુઓ છે! પણ યુધિષ્ઠિરને જવાબ તે એક જ છે અને અફર છેઃ
तैर्विना नोत्सहे वस्तम् “તેમના વિના મારાથી રહેવાય એમ નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com