________________
૨૬. વિનાશ
મહાભારતના યુદ્ધને છત્રીસ વરસ વીતી ચૂક્યાં હતાં. દ્વારારકાના વિનાશની ઘડી આવી ચૂકી હતી.
જગતમાં કશું જ અકારણ કે અકસ્માત બનતું નથી. સારું-માઠું બધુંય, બધાને કૃતમ્ ભોગવવાનું છે, સ્વતમ્ ! મ–ત કેઈને ભેગવવું પડતું નથી.
કૃષ્ણની છત્રછાયા અને દૂરને સાગરકાંઠો-બેવડી સલામતીની શીળી છાયામાં જન્મેલી ને ઊછરેલી, પ્રગટેલી ને પાંગરેલી સંપત્તિએ યાદોમાં વિપરીત પરિણામે આપ્યાં હતાં. આજની ભાષામાં કહીએ તે દ્વારકાનું રાજ્ય એક “સમૃદ્ધ સમાજ” afflunt society જેવું હતું અને સંપન્ન, અતિસંપન્ન સમાજનાં બધાં જ દુર્ગણે અને દૂષણે તેનામાં ધીમે ધીમે ઘર કરી ગયાં હતાં. દારૂની-દૂધ-ઘીની સાથે દારૂની પણ!–નદીઓ ઠારકામાં વહેતી, અને દારૂની પ્યાલીઓમાંથી પ્રગટતાં બધાં પાપ દ્વારકાવાસીએના ચારિત્ર્યને શિથિલ કરી રહ્યાં હતાં. લૈંગિક વિકૃતિઓ પણ સારા પ્રમાણમાં ફૂલીફાલી હતી.
યુવકે ઉછુખ બન્યા હતા.
મથુરા અને વ્રજમંડળમાંથી છસો દાયકાઓ પહેલાં આવેલ pioneersઅગ્રણીઓની પેઢી હવે લગભગ નહિવત થઈ ચૂકી હતી. વ્યાસજીએ દુર્યોધનની વિકૃતિની પાછળ એક ખાસ વાત જણાવી છે–વાચકેને યાદ હશે. દુર્યોધનના પતનના મૂળમાં એ હતું કે એ અત્યન્ત-સુત-વૃદ્ધ હતે. યાદોની નવીનતમ પેઢી પણ અત્યન્ત-સુત-સંવૃદ્ધ હતી. વૌવન, મુત્વ અને ધનસંપત્તિ એ ત્રિદેષજનિત સન્નિપાત તેમને ઊપડ્યો હતો.
નહિતર આખા ભારતવર્ષે જેમને હવે “ગેશ્વર' તરીકે સન્માનવાની શરૂઆત કરી હતી, તે શ્રીકૃષ્ણના દર્શન અર્થે આવનાર વિશ્વામિત્ર, કણ્વ અને નારદ જેવા ઋષિઓની આવી જુગુપ્સિત અને કુત્સિત મશ્કરી કરવાનું દ્વારકાના તરુણોને સૂઝે જ શી રીતે ? (આશુ-રેષ દુર્વાસા હેત, તેય હજુ બીજી વાત હતી પણ આ તે વિશ્વામિત્ર, નારદ અને કર્વ જેવા ધીરગંભીર મુનિઓ! એમને શાપ આપવાની હદે ઉશ્કેરે તે દશ્ય કેટલું ધૃણાજનક હોવું જોઈએ !)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com