________________
रथस्य पुरतो याति यः स चक्रगदाधरः ॥ तव स्नेहात् पुराणर्षिर्वासुदेवश्चतुर्भुजः । कृत्वा भारावतरणं पृथिव्याः पृथुलोचनः । मोक्षयित्वा तनुं प्राप्तः कृष्णः स्वस्थानमुत्तमम् ।
ચક્ર અને ગદાને ધારણ કરનાર જે પુરાણુ ઋષિ ચતુર્ભુજ વાસુદેવ તારા પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને તારા રથની આગળ ચાલતા હતા (એટલે કે તને માર્ગદર્શન આપતા હતા), તે હવે પૃથ્વીના ભારને ઉતારવાનું પોતાનું જીવનકાર્ય સમાપ્ત થતાં, શરીરનો ત્યાગ કરીને સ્વસ્થાનમાં ચાલ્યા ગયા છે.
एवं बुद्धिश्च तेजश्च प्रतिपत्तिश्च भारत ॥ भवन्ति भवकालेषु विपद्यन्ते विपर्यये । कालमूलमिदं सर्व जगद्वीजं धनंजय ॥
બુદ્ધિ, તેજ અને જ્ઞાન-ઉદયકાળે એ ત્રણેય આપોઆપ જાણે વિકાસ પામે છે; વિનાશકાળે એ એવી જ રીતે નાશ પામે છે.
કાળ એ જ બધાનું મૂળ છે, કાળ એ જ આ જગતનું બીજ છે, ધનંજય!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com