________________
૧૯૨
कालः पचति भूतानि सर्वाण्येव महामते ।
कालपाशमहं मन्ये त्वमपि द्रष्टुमर्हसि ।। આમાં બીજી પંક્તિ ઘણી જ અર્થગર્ભ છે: “સર્વત્ર ફેલાયેલો આ “કાલપાશ” તારી નજરથી પણ બહાર નહિ જ હોય!” નજીક આવી રહેલ મૃત્યુની વાત કરતા હશે, યુધિષ્ઠિર ? કે પછી છત્રીસ વરસ એકધારું શાસન ચલાવ્યા પછી હવે આપણે જે નિવૃત્ત નહિ થઈએ –નવી પેઢીના હાથમાં શાસનભાર સોંપીને–તે આપણી પણ આવી જ કેઈ દશા થશે, એવું કંઈક એ સૂચવવા માગતો હશે ? દ્વારકામાં યાદવતરુણો ઉછુંખલ શા માટે બન્યા–આજના “હિમ્પી એને યાદ કરાવે એવા ? શા માટે મદ્યપાન અને લંપટતા એમનામાં આટલા મોટા પ્રમાણમાં ઘર કરી બેઠાં ? એનું એક કારણ એ તે નહિ હોય કે શાસનતંત્ર, મથુરાથી હિજરત કરીને અહીં આવ્યાને લગભગ છ-સાત દાયકાઓ વીતી ગયાં છતાં, એ જ વૃદ્ધો ના હાથમાં હતું ?
જે હે તે અર્જુન યુધિષ્ઠિરને ઈશારો સમજી ગયો. તેણે ભીમને અને માદ્વીપુત્રોને વાત કરી. તેઓ પણ સમજી ગયા. તેમણે સૌએ નિશ્ચય કર્યો. શાસનની જવાબદારી આપણું માથેથી ઉતારી નાખવી. આપણે નિવૃત્ત થઈ જવું. આપણે ચાલ્યા જવું.
એ વખતની ભાષામાં વાત કરીએ તે, “આપણી હવે ઢો પૂરતી જવાબદારી પૂરી થઈ, હવે રોલ માટે તૈયારી કરીએ. આપણી હયાતી દરમ્યાન જ, આપણે સશક્ત છીએ અને ધાયુ કરાવી શકીએ છીએ એ દરમ્યાન જ સત્તા અને જવાબદારીની સંક્રાન્તિ કરી નાખવી. એવી રીતે સંક્રાન્તિ (સખ્ય ક્રાન્તિ) કરીએ તો જાતિના ભયને અવકાશ જ ન રહે !
ગાદી કેને સોંપવી એ બાબત તે પ્રશ્ન જ નહોતે. અભિમન્યુ અને ઉત્તરાને પુત્ર પરિક્ષિત બિનહરીફ ગાદીવારસ હતો. અને પરિક્ષિતની ઉમર પણ કંઈ સાવ નાની નહોતી. તે ખાસ્સો છત્રીસ વરસનો હતે. પણ લાગે છે કે આજની પેઠે જ, તે જમાનામાં પણ રાજકાજની વિકટ ધુરાના વહન માટે એ ઉમર કાચી ગણતી હશે. બીજું, પરિક્ષિત આપણે માનીએ છીએ તેટલે બિનહરીફ કદાચ નયે હાય. વૈશ્યા સ્ત્રી વડે થયેલ ધૃતરાષ્ટ્રને એક પુત્ર-યુયુત્સુ, જેણે છેક છેલ્લી ઘડીએ, યુદ્ધારંભે, પક્ષપલટો કર્યો હતો, તે કદાચ, પ્રચ્છન્ન પ્રતિસ્પધી પણ હાય! ઓછામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com