________________
૧૭૩
वासुदेवस्य दायादः साम्बोऽयं जनयिष्यति । वृष्णी-अन्धक-विनाशाय मुसलं घोरमायसम् ॥ येन यूयम् सुदुर्वृत्ता नृशंसा जातमन्यवः । उच्छेत्तारः कुलं कृत्स्नं कृते रामजनार्दनौ ॥ समुद्रं यास्यति श्रीमान् त्यक्त्वा देहं हलायुधः। जरा कृष्ण महात्मानं शयानं मुवि भेत्स्यति ||
“વાસુદેવને આ પુત્ર વૃષ્ણ તેમ જ અન્ધક કુલના વિનાશને માટે એક ભયાનક લોખંડનું સાંબેલું પ્રસવશે, જે સાંબેલા વડે તમે દુરાચારીઓ, અધમ, એકમેક પર ગુસ્સે થઈને એકમેકને સંહાર કરશે. એ મહાસંહારમાંથી બલદેવ અને કૃષ્ણ એ બે જ ઊગરશે. (પણ પછી) હલાયુધ બલદેવ શરીરને ત્યાગ કરીને સમુદ્રમાં સમાધિ લેશે અને ભૂમિ પર યોગસ્થ થઈને સૂતેલા મહાત્મા શ્રીકૃષ્ણને જરા (નામને પારધી) વીંધી નાખશે.”
૨૭. બે આદેશે!
આ દારુણ શાપના સમાચાર કૃષ્ણને મળ્યા (ઋષિઓએ જાતે જ તેમને આપ્યા હશે, દર્શન કરવા ગયા હશે ત્યારે) ત્યારે તેમણે મયિતવ્યમ્ તત તથા – “એમ જ થવું જોઈએ” એટલો જ ઉદ્ગાર કાઢો. કેઈ પણ જાતનું આશ્ચર્ય વ્યક્ત ન કર્યું. જાણે કેઈ સ્વાભાવિક વાત સાંભળતા હોય એવું વર્તન કર્યું. કાર્ય-કારણની સાંકળને કેાઈ તેડી શકતું નથી, એ યોગીને થયું. યાદવોએ છેલ્લા અનેક દાયકાઓથી આચરેલ ઉછંખલતા અંતે તેમને ખાઈ જ જવાની ! કંસના જમાનામાં, મથુરામાં વવાયેલાં વિષબીજો, દ્વારકામાં અંકુરવાના, ફૂલવાફાલવાનાં ! (ગોકુલે–વૃન્દાવનમાં વવાયેલાં સનાં બીજેનું શું થયું ?)
યાદવેએ શાપની વાત સાંભળી ત્યારે તેઓ ચોંકી ઊઠયા. આવી રહેલ વિનાશને અટકાવવાને પ્રયત્ન તે તેમણે ખૂબ કર્યો, પણ હવે ખૂબ મોડું થઈ ગયું હતું. વળી પ્રયત્નની પાછળ કઈ સાચી સમજ પણ નહોતી ! હતે. કેવળ ગભરાટ અને ભય! “શેરીઓમાં અને ઘરોમાં ઊંદર એટલા બધા વધી ગયા હતા, કે રાતને વખતે સૂતેલાં માણસેના કેશ અને નખ સુદ્ધાં તેઓ કેરી ખાતા!” અને...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com