________________
૧૮૭
કારણ કે,
त्रैलोक्यमपि गोविन्दः कृत्स्नं स्थावरजंगमम् ।
प्रसहेत् अन्यथाकर्तुम् कुतः शापं महात्मनाम् ॥ અને સ્ત્રીઓને તું ન બચાવી શક્યો તેની પાછળ પણ તેમણે કરેલી મશ્કરીથી ગુસ્સે થઈને અષ્ટાવકે તેમને આપેલે શાપ જ હતો” વગેરે.
પણ સૌથી વધારે મહત્વની છે એ વાત છે કે તારા રથની આગળ આગળ તને વિજયી બનાવતા જે દિવ્ય પુરુષ ચાલતા હતા, તે સાક્ષાત નારાયણ હતા, જે હવે પૃથ્વીનો ભાર ઉતારી, પોતાના શરીરનું વિસર્જન કરીને સ્વસ્થાને ચાલ્યા ગયા છે!”
પછી અર્જુનને સલાહ આપતા કહે છે કે “તેં પણ ભીમ, સહદેવ અને નકુલની સહાયથી દેવાનું ઘણું જ મહત્વનું કાર્ય કર્યું છે. તમે પાંચે ભાઈઓ હવે કૃતકૃત્ય થયા છે; અને તમારે માટે હવે આ પૃથ્વીને ત્યાગ કરવાનો સમય આવી ગયો છે.”
પુરુષોત્તમની છેલ્લી અને વધુમાં વધુ મહત્વની વિશેષતા એ છે કે ક્યારે રંગમંચ પરથી વિદાય લેવી એની તેમને સૂઝ હોય છે. (They know when to retire.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com