________________
૧૫૫
વર્ષો પહેલાં, દાયકાઓ પહેલાં,
પાંડ આ જ હસ્તિનાપુરમાંથી વનવાસે જઈ રહ્યા હતા, તે સમયને યાદ કરાવે એવું જ શેકનું વાતાવરણ સરજાઈ રહ્યું છે.
રસ્તાઓ પર, મહાલયો અને હવેલીઓમાં રડી રહેલ સ્ત્રીઓ તેમ જ પુરુષોને આક્રોશ ધરતી અને આકાશને એક કરી રહ્યા છે.
રડતી જનમેદની વચ્ચેથી માંડ માંડ માર્ગ કાઢતે ધૃતરાષ્ટ્ર પોતાની સાથેનાં નર-નારીઓ સાથે બહુ જ ધીમી ગતિએ આગળ વધી શકે છે; અને આગળ વધતાં વધતાં હાથની અંજલિ બાંધીને ચારે બાજુ સૌને નમસ્કાર કરી રહ્યો છે.
૨૯૦. ધર્મ તે પીયતન સુદ્ધિ
નગરના વર્ધમાન-દ્વારથી બહાર નીકળતાંવેંત પિતાને વળાવવા આવેલ સૌને પાછા વળવાની ધૃતરાષ્ટ્ર આજીજી કરી.
પણ વિદુર અને સંજય તે નિશ્ચય કરીને જ આવ્યા હતા, ધૃતરાષ્ટ્રની સાથે જવાને !
અને કુન્તી પણ! યુધિષ્ઠિરને માટે આ વળી એક નવો જ આઘાત હતો. માને તેણે બહુ જ સમજાવીઃ
વડીલની સાથે હું વનમાં જઉં, મા તમે અહીં જ રહે.”
“મને સમજાવવાનો પ્રયત્ન વૃથા છે.” કુન્તીએ દઢતાપૂર્વક ઉત્તર આપ્યો, “મારું સ્થાન હવે મારા સસરા તુલ્ય જેઠ તથા દેવી ગાંધારી પાસે છે. પણ જતાં જતાં એક છેલ્લી શીખ તને આપતી જઉં છું: સહદેવનકુલનું ખાસ ધ્યાન રાખજે; અને..અને...કર્ણની સ્મૃતિને કરમાવા દઈશ મા !”
હું તને નહિ જવા દઉં, મા,” યુધિષ્ઠિરે વલોપાત કરવા માંડ્યો, “વિદુલાનું દૃષ્ટાન આપીને તેં જ તે અમને તન્દ્રામાંથી જગાડેલા, મા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com