________________
૧૫૪
૨૮૯, અંતિમ વિદાય!
પાંચેય પાંડવો કાકાને વિદાય આપવા માટે હાજર છે.
તેમને, તથા ધૃતરાષ્ટ્ર તથા તેના પુત્રોને સમગ્ર નારીસમાજ આન્દ અને આક્રેશ કરી રહ્યો છે.
પુષ્પો અને ધાણી વડે પિતાના આજન્મ નિવાસસ્થાનને છેવટની પૂજા સમપીને અને પરિચારકવર્ગને છેવટની બક્ષિસો વડે નવાજીને ધૃતરાષ્ટ્ર ચાલવા માંડે છે.
યુધિષ્ઠિર રડી પડે છે.
અમને મૂકીને કયાં ચાલ્યા ?” બોલતાં બોલતાં વડીલના પગમાં તે આળોટવા માંડે છે.
એવી જ સ્થિતિ અર્જુનની છે.
પ્રસંગ હવે એટલો બધો ગંભીર બની ગયો છે કે ભીમની આંખે. પણ હવે ભીની થવા માંડી છે.
નકુલ, અને સહદેવ, અને યુયુત્સુ, કુન્તી તેમ જ ગાંધારી, આંખે પાટા બાંધેલી,
અને પિતાના ખભા પર મુકાયેલા પતિના હાથને આદ્રભાવે આલબન આપતી,
દ્રોપદી અને સુભદ્રા, પંદર વરસના પરિક્ષિતની માતા ઉત્તરા, ચિત્રાંગદા,
તેમ જ નગરમાંથી ધૃતરાષ્ટ્ર-ગાંધારીને વિદાય આપવા આવેલી ચારેય વર્ણોની અસંખ્ય સ્ત્રીઓ,
સૌ ઊંચે સાદે રડી રહ્યાં છે.
સૂર્યના તાપને કે ચન્દ્રની ચાન્દનીને સીધે સ્પર્શ જેમણે કદી નથી અનુભવ્ય, એવી સ્ત્રીઓ પણ આજે શોકથી વ્યાકુળ બનીને રાજમાર્ગ પર ઊતરી આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com