________________
૧૬૨
દ્રૌપદી પછી સ*જય સુભદ્રાના પરિચય કરાવે છે; તે પછી ઉલૂપી અને ચિત્રાંગદાના, તે પછી શિશુપાલની બહેન, જે ભીમને પરણી હતી, તેને; તે પછી જરાસંધની પુત્રી, જે માદ્રીપુત્ર સહદેવને પરણી હતી તેના; તે પછી નકુલની પત્નીના; પછી ઉત્તરાના; અને છેલ્લે ધૃતરાષ્ટ્રની વિધવા પુત્રવધૂઓને.
પરિચયવિધિ પૂરા થતાં કુટુંબમેળાનુ` વહાલસેાયું વાતાવરણ શતયૂપના આશ્રમમાં સરજાઈ રહ્યું; અને ધૃતરાષ્ટ્ર-ગાંધારી-કુન્તી આદિ સૌને થોડાક વખત તે એમ જ લાગ્યું તે પોતે કુરુક્ષેત્રમાં નહિ, પણ હસ્તિનાપુરમાં જ છે!
૨૯૪. વિદુર !
કુરુક્ષેત્રના શતયૂપ–આશ્રમમાં કુટુંબમેળાનું વાતાવરણ સરજાયાનું વર્ણન વાંચતાં વાચકાએ એટલી માનિસક નોંધ જરૂર કરી હશે કે એમાં વિદુરના કષાંય ઉલ્લેખ નથી! યુવિષ્ઠિરને પણ એ જ પ્રશ્ન થાય છે. વિદુરની અને તેની વચ્ચેની પારસ્પરિક પ્રીતિ પણ જાણીતી છે, એટલે વિદુરને ન જોતાં, તેના મનમાં કંઈ કંઈ પ્રશ્નો સળવળી ઊઠયા હશે એ સહેજે સમજી શકાય છે.
""
નાના કાકા કેમ દેખાતા નથી ? અરસપરસ કુશળ પુછાયા પછી યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્રને પૂછે છે.
<6
વિદુરે તેા તીક્ષ્ણ તપશ્ચર્યા આદરી છે, બેટા ! એ સાચા અર્થમાં અ-નિત બન્યા છે, કચાંય ઠરીઠામ થઈને બેસતા નથી. વનના નિર્જન પ્રદેશામાં સતત ઘૂમ્યા જ કરે છે. વસ્ત્રોનાયે પરિગ્રહ હવે એણે રાખ્યા નથી; અને આહારનું પણ એવું જ ! ”
r
એટલામાં તે યુધિષ્ઠિરની નજર દૂર દૂર વનનાં વૃક્ષ વચ્ચે સંક્રમણ કરતા અવધૂત જેવા વિદુર પર પડી...
અને તે ક્ષણે જ તે એમની તરફ દાડયો.
ઘેાડીક વારમાં તેા તે કાકાની લગાલગ થઈ ગયા અને તેમનાં ચરણા તેણે પકડી લીધાં. કાકાએ પેાતાને એળખ્યા નથી એમ લાગતાં તેણે પોતાના પરિચય આપવા માંડયો, પણ વિદુરે તે પાતે જે ધૂનમાં હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com