________________
૧૪૮
સમજતા હતા. યુદ્ધમાં પારેઠનાં પગલાં તેમણે કદીયે નથી ભર્યા...પણ હવે જે થયું તે થયું. હવે અમારી ઈચ્છા રાજપ્રાસાદ અને નગર છેડીને વનમાં જવાની છે. આપણું કુલની તો એ પરંપરા જ છે. પુત્રપુ ઐશ્વર્ય आधाय वयसोऽन्ते वनम् ।
યુધિષ્ઠિરને તે આ સાંભળતાંવેંત જ દારુણ આઘાત લાગે છે : બે વાતને. એક તે, આટલા લાંબા સમય થયાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ઉપવાસો તેમ જ ભૂમિશમ્યા કરી રહ્યાં છે છતાં પોતાને તેની ખબર જ ન પડી તેને; અને બીજે; વનમાં જવાને તેમના નિશ્ચયને.
યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્રને તેને નિશ્ચય ફેરવવા માટે લળીલળીને સમજાવે છે. પિતાને રાજ્ય કરતાં વડીલોની સેવા અને તપ વધારે વહાલાં છે એમ કહીને, રાજ્ય યુયુત્સુને ઑપી જાતે વનમાં જવાની તૈયારી પણ બતાવે છે. પણ ધૃતરાષ્ટ્રને નિશ્ચય હવે દૃઢ અને અડગ છે. સંજય અને કૃપને તે વિનંતિ કરે છેઃ “યુધિષ્ઠિરને સમજાવો. મારામાં તે હવે બોલવાની પણ શક્તિ નથી. વાનું પણ મારા માટે હવે વ્યાયામ જેવી થઈ પડી છે; અને એવા વાયામથી હું હવે થાકી જઉં છું.”
અને સાચે જ, આટલું બોલતાં તે તે વૃદ્ધ અને દુર્બલ-ઉપવાસાદિ વ્રતને કારણે કુરાર બનેલ રાજાને મૂચ્છ જેવું આવી ગયું; અને ગાંધારીએ તેને ટેકવી ને લીધે હેત, તો તે ગડથોલિયું ખાઈને સીધા. જમીન પર જ પછડાત.
ધૃતરાષ્ટ્રની આ દશા જોઈને યુધિષ્ઠિરને સ્વાભાવિક રીતે જ ભૂતકાળ સાંભરી આવ્યો. ભીમની લેહમયી મૂતિને કચડી નાખવા જેટલી શારીરિક તાકાત ધરાવનારની આ દશા ! – તેને થયું. પણ ધૃતરાષ્ટ્રની આ દુર્દશાની પાછળ પણ તે, પોતાની પ્રકૃતિ પ્રમાણે, પોતાને જ દેષ જુએ છે, અને મનોમન નિશ્ચય કરે છે કે હવે એ ઉપવાસ ઉપર ઊતરશે, તે હું પણ ભોજનને ત્યાગ કરીશ!
પછી જલશીતલ હાથ વડે યુધિષ્ઠિરે ધૃતરાષ્ટ્રના મુખ અને ઉરપ્રદેશને સ્પર્શ કર્યો, અને મહાભારત લખે છે કે “નૌષિમત” એ “પુષ્ય વળ'ના સ્પર્શ વડે ધૃતરાષ્ટ્રને “સંજ્ઞા” આવી અને ભાનમાં આવતાંવેંત પહેલાં તે એણે યુધિષ્ઠિરને પિતાને તેના કર વડે સ્પર્શવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com