________________
૧૪૭
અને તેમાંય ખાસ કરીને ધૃતરાષ્ટ્ર જ્યારે દુર્યોધનને ઉલ્લેખ કરતે ત્યારે ભીમ અત્યંત ક્રોધે ભરાતે અને ધૃતરાષ્ટ્ર તથા ગાંધારી બન્ને સાંભળી શકે એટલે મોટે અવાજે, મિત્રોની વચ્ચે પિતાના બાહુઓને થાબડતે, કેવી રીતે એ બાહુઓ વડે દુર્યોધનાદિને પોતે મારી નાખ્યા હતા તેનું શેખીભર્યું વર્ણન કરતે!
આમ પંજ વરસો વીત્યાં !
એ પંદર વર્ષો દરમિયાન એક તરફ એવી સ્થિતિ હતી કે પૂર્વે દુર્યોધન દ્વારા પણ નહોતું સચવાતું એટલું સન્માન ધૃતરાષ્ટ્રનું પાંડવો દ્વારા સચવાતું હતું, જ્યારે બીજી તરફ ભીમનું પ્રચ્છન્ન અને પ્રગટ વલણ જોઈને ધૃતરાષ્ટ્રનું તથા ગાંધારીનું હદય અંદરખાનેથી ચિરાતું જ રહેતું.
એક રીતે જોઈએ તે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની સહનશીલતાની પણ હદ છે–અથવા કહો કે લાચારીની !—જેમણે પંદર વરસ સુધી આવે વ્યવહાર બરદાસ્ત કરે રાખ્યો.
પણ આખરે તે અંધનીયે આંખ ઊઘડી. એક દિવસે તેણે બધાં જ સ્વજનોને પોતાના સાન્નિધ્યમાં તેડાવ્યા. પછી પોતાની રોજની પ્રકૃતિ પ્રમાણે ડોક વખત પોતાની ભૂતકાળની ભૂલનું સ-શેક; સ-પશ્ચાત્તાપ પારાયણ કર્યું અને છેલ્લે એક ગુપ્ત વાત, જે એક ગાંધારી સિવાય બીજાં બધાંથી તેણે ગુપ્ત રાખી હતી, પ્રકટ કરી:
ઓ ગાન્ધારી જાણે છે,” તેણે કહ્યું, “કે ઘણા લાંબા સમયથી હું ભૂતકાળનાં મારાં પાપકર્મોનું છાનું છાનું પ્રાયશ્ચિત કરી રહ્યો છું. ચાર ચાર, ને કાઈ કોઈ વાર તે આઠ આઠ ટૂંક સુધી હું અન્ન-જળને ત્યાગ કરું છું. યુધિષ્ઠિર નારાજ ન થાય, અને મારા પ્રાણ ટકી રહે એટલા પૂરત જ, ઓછામાં ઓછો આહાર હું લઉં છું; અને મોંઘામૂલાં પર્ય કે મારા મહેલમાં હોવા છતાં અણુઢાંકી છે પર જ જપ કરતો કરતો પડી રહું છું; અને રાતે તે, હું અને આ ગાંધારી બન્ને દર્ભની પથારી પર જ વિતાવીએ છીએ.”
પણ અહીં પણ પિતાના પુત્રની “વીરતા” માટે ગર્વ કર્યા વગર એનાથી રહેવાતું નથીઃ “ગમે તેમ પણ મારા પુત્રો “ક્ષાત્રધર્મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com