________________
इन्द्रियाणि च सर्वाणि वाजिवत् परिपालय। हितायैव भविष्यन्ति रक्षितं द्रविणं यथा ॥
જેમ કોઈ ઘોડાને કેળવે, એમ બધી ઈન્દ્રિયોને કેળવ (અંકુશમાં લાવ). જેમ હેલું દ્રવ્ય (અંતે) હિતકર નીવડે છે, તેમ એ પાળેલી ઈન્દ્રિય તારા માટે હિતકર નીવડશે.
अश्वमेधसहस्रेण यो यजेत् . 'पृथिवीपतिः । पालयेद् वापि धर्मेण प्रजास्तुल्यं फलं लभेत् ॥ રાજા સો અશ્વમેધ યો કરે; અથવા ધમપૂર્વક પ્રજાનું પાલન કરે; બનેનું ફળ સરખું છે.
धर्मे ते धीयतां बुद्धिः मनस्तु महदस्तु ते । તારી બુદ્ધિ ધમમાં સ્થિર રહો; તારું મન મહાન બને.
यदर्थो हि नरो राजन् तदर्थोऽस्यातिथिः स्मृतः । જેવાં અન્નપાન માણસનાં પિતાનાં, તેવાં અન્નપાન તેના મહેમાનનાં!
(માણસ પોતે જે રીતે રહેતા હોય અને ખાતોપીતે હોય, તે જ રીતે પોતાના અતિથિઓને રાખે અને ખવડાવે-પિવડાવે.)
एतद्धि त्रितयं श्रेष्ठं सर्वभूतेषु भारत । निरता महाराज सत्यमक्रोध एव च । ભૂતમાત્રમાં આ ત્રણઆ ગુણત્રિપુટી-શ્રેષ્ઠ છે નિરતા, સત્ય અને અક્રોધ. सर्व बलवतां पथ्यं सर्व वलवतां शुचि । सर्व बलवतां धर्मः सर्व बलवतां स्वकम् ॥ બલવાને માટે બધું જ પથ્ય છે.
બધું જ પવિત્ર છે; બધું જ ધમરૂપ છે; બધું જ પિતાનું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com